<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
     xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
     xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
     xmlns:admin="http://webns.net/mvcb/"
     xmlns:rdf="http://www.w3.org/1999/02/22-rdf-syntax-ns#"
     xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
     xmlns:media="http://search.yahoo.com/mrss/">
<channel>
<title>Narsim 7 News &#45; admin</title>
<link>https://www.narsim7news.com/rss/author/admin</link>
<description>Narsim 7 News &#45; admin</description>
<dc:language>en</dc:language>
<dc:rights>Copyright © 2025 Narsim 7 News &#45; All Rights Reserved.</dc:rights>

<item>
<title>&amp;apos;બાળકોને ભણાવવાનું 5 મિનિટ મોડા શરૂ કરો&amp;apos;:રાજ્યના 40 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન; રાજ્યપાલની ટકોર, કહ્યું&#45;&amp;apos;જીવન જીવવાની કળા શીખવો&amp;apos;</title>
<link>https://www.narsim7news.com/p/14</link>
<guid>https://www.narsim7news.com/p/14</guid>
<description><![CDATA[ શિક્ષક દિન નિમિત્તે ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2026 સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના 40 શ્રેષ્ઠ શિક્ષકોનું પ્રશસ્તિપત્ર અને સન્માન રાશિ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શિક્ષકોને સંબોધતા કહ્યું હતું કે, &#039;બાળકોને ભણાવવાનું પાંચ મિનિટ મોડા શરૂ કરો, પરંતુ તેમને ધરતી પર કેવી રીતે રહેવું અને જીવન કેવી રીતે જીવવું તે શીખવો.&#039; &#039;ગુરુનું કામ માત્ર ડિગ્રી આપવાનું નહીં, માનવ બનાવવાનું છે&#039;
રાજ્યપાલે ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવતા કહ્યું કે, ભારતમાં ગુરુનું સ્થાન પ્રાચીન સમયથી સર્વોચ્ચ રહ્યું છે. માતા બાળકને શરીરરૂપે જન્મ આપે છે, જ્યારે ગુરુ અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જઈને તેને સાચા અર્થમાં માનવ બનાવે છે. આજે શિક્ષણમાં ભૌતિક સુવિધાઓ, ભવ્ય ઇમારતો અને ટેકનોલોજી પર ભાર વધી રહ્યો છે, પરંતુ માનવતા, સંસ્કાર, દયા, પરોપકાર અને માતા-પિતા તથા ગુરુ પ્રત્યેના સન્માન જેવા મૂલ્યો પણ એટલા જ જરૂરી છે. માત્ર ધન-દોલત અને ભૌતિક વિકાસથી વ્યક્તિને કાયમી સુખ મળી શકતું નથી. &#039;ટેકનોલોજીનું જ્ઞાન હોય, પણ નૈતિક મૂલ્યો ભૂલશો નહીં&#039;
આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, પ્રાચીન ભારત ખગોળવિજ્ઞાન અને ગણિત જેવા ક્ષેત્રોમાં વિશ્વમાં અગ્રેસર હતું. આજે ટેકનોલોજી અને વિજ્ઞાનનું જ્ઞાન જરૂરી છે, પરંતુ તેની સાથે આત્મજ્ઞાન અને નૈતિક મૂલ્યોનું શિક્ષણ પણ અનિવાર્ય છે. તેમણે શિક્ષકોને ખાસ ટકોર કરતાં કહ્યું કે, દરરોજ વર્ગખંડમાં વિષયનું શિક્ષણ શરૂ કરતાં પહેલાં પાંચ મિનિટ બાળકોને જીવન જીવવાની કળા, દેશભક્તિ, સંસ્કાર અને માતા-પિતાની સેવા અંગે સમજ આપવી જોઈએ. &#039;શિક્ષક ચેતનાનો વિકાસ કરે છે&#039;
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંતમાં શિક્ષકોને યાદ અપાવ્યું કે, સમાજના અન્ય લોકો ભૌતિક વસ્તુઓનું નિર્માણ કરે છે, જ્યારે શિક્ષક જીવંત બાળકના ચેતનાનો વિકાસ કરીને તેને સાચો માનવ બનાવે છે. આવનારી પેઢીને ગુણવાન બનાવવી હોય તો પરિવાર, સમાજ અને રાષ્ટ્રને પણ ગુણવાન બનાવવું પડશે. તેથી શિક્ષકની જવાબદારી માત્ર પાઠ્યપુસ્તક પૂરતી નહીં, પરંતુ સંસ્કારી અને જવાબદાર નાગરિક ઘડવા સુધીની છે. &#039;શિક્ષક રાષ્ટ્રધર્મ નિભાવે છે&#039;: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, શિક્ષક માત્ર વ્યવસાય નથી, પરંતુ રાષ્ટ્રધર્મ છે. શિક્ષક વ્યક્તિનું જીવન ઘડવાની સાથે રાષ્ટ્રનિર્માણનું મહત્વનું કાર્ય કરે છે. વર્ગખંડમાં બેઠેલો વિદ્યાર્થી ભવિષ્યમાં વૈજ્ઞાનિક, એન્જિનિયર અથવા દેશના મહત્વના હોદ્દા પર પહોંચશે, તેથી શિક્ષકની જવાબદારી ખૂબ મોટી છે. શિક્ષણની પરંપરાગત વિરાસત અને અદ્યતન ટેકનોલોજીના સમન્વયથી શિક્ષણ વ્યવસ્થાને ભવિષ્ય માટે તૈયાર કરવાની જરૂર છે. વિદ્યાર્થીઓ AI અને ડિજિટલ ટેકનોલોજીથી વિશ્વ સાથે જોડાયેલા છે, ત્યારે શિક્ષકોએ પણ સતત ટેકનોલોજીથી અપડેટ થવું જોઈએ અને તેનો જવાબદારીપૂર્વક ઉપયોગ શીખવવો જોઈએ. તેમણે શિક્ષકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત-2047ના સંકલ્પને સાકાર કરવા સામર્થ્યવાન પેઢીના નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું. 40 શિક્ષકોનું સન્માન
સમારોહમાં રાજ્યના વિવિધ વિભાગ અને શૈક્ષણિક ક્ષેત્રમાંથી પસંદ થયેલા કુલ 40 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો ઉપરાંત આચાર્ય અને BRC કેળવણી જેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા શિક્ષકોનો સમાવેશ થયો હતો. શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ કહ્યું કે, શ્રેષ્ઠ શિક્ષક માત્ર ભણાવતો નથી, પરંતુ આવનારી પેઢીને પ્રેરણા પણ આપે છે. શિક્ષક બાળકમાં સંસ્કાર, ગુણવત્તા, કૌશલ્ય અને જિજ્ઞાસાનું સિંચન કરે છે. તેમણે કહ્યું કે આ સમારોહ માત્ર શિક્ષકોનો સત્કાર નહીં, પરંતુ જ્ઞાનનું સન્માન કરવાનો પવિત્ર પ્રયાસ છે. ચિત્ર શિક્ષકોની ભરતી અંગે મંત્રીનું નિવેદન
સમારોહ દરમિયાન ચિત્ર અને સંગીત શિક્ષકોની ભરતી અંગે શિક્ષણ મંત્રીને સવાલ કરવામાં આવ્યો હતો. મંત્રીએ જણાવ્યું કે, શિક્ષકોની ભરતી અંગે સરકાર વિચારણા કરી રહી છે અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાશે. શિક્ષકોની ઘટ અંગે તેમણે ટૂંક સમયમાં વિદ્યાસહાયકોની ભરતી કરવાની વાત કરી હતી. જોકે, ચિત્ર શિક્ષકોની કાયમી ભરતીની માગણી કરતા શિક્ષકોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. મહિસાગરના શિક્ષિકા ગાયત્રીબેન સોલંકીએ આક્ષેપ કર્યો કે ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી નથી અને 11 મહિનાની કરાર આધારિત ફરજ બજાવતા શિક્ષકોને હજુ સુધી મહેનતાણું મળ્યું નથી. તેમની માગ છે કે અંશકાલીન ભરતી પ્રક્રિયા બંધ કરી ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે અથવા કાયમી ભરતી ન થાય ત્યાં સુધી ‘ચિત્ર સહાયક’ની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/05/1001694579_1788610189.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 09:06:45 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>બાળકોને, ભણાવવાનું, મિનિટ, મોડા, શરૂ, કરો:રાજ્યના, શ્રેષ્ઠ, શિક્ષકોનું, સન્માન, રાજ્યપાલની, ટકોર, કહ્યું-જીવન, જીવવાની, કળા, શીખવો</media:keywords>
</item>

<item>
<title>રેવડી બજાર પાસે પેસેન્જરને છરી બતાવી રિક્ષા ગેંગે લૂંટી લીધો:યુવક બાવળાથી બિહાર જવા ગીતા મંદિર આવ્યો, ત્યાંથી રિક્ષામાં કાલુપુર રેલવે સ્ટેશન જતાં લૂંટાયો</title>
<link>https://www.narsim7news.com/p/12</link>
<guid>https://www.narsim7news.com/p/12</guid>
<description><![CDATA[ કાલુપુર રેવડી બજાર પાસે રિક્ષાચાલક ગેંગે બિહારી યુવકને પેસેન્જર તરીકે બેસાડીને રસ્તામાં છરી બતાવી માર મારીને લૂંટી લીધો હતો, જેમાં યુવક બાવળાથી બસમાં ગીતા મંદિર આવ્યો ત્યાંથી કાલુપુર રેલવે સ્ટેશન જવા રિક્ષામાં બેઠો હતો. આ અંગે યુવકે રિક્ષાચાલક સહિત બે શખ્સો સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવક કાલુપર રેલવે સ્ટેશન જવા રિક્ષામાં બેઠો
બિહાર ખાતે રહેતા ઋષિકુમાર કહારે કાલુપુર પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલક સહિત બે શખ્સો વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી છે. ઋષિ બાવળાથી એસટી બસમાં બેસીને ગીતામંદિર આવ્યો હતો અને ત્યાંથી પોતાના વતન બિહાર જવા રેલવે સ્ટેશન તરફ જવા માટે રિક્ષામાં બેઠો હતો. રિક્ષામાં પહેલેથી જ એક શખ્સ પેસેન્જરના સ્વાંગમાં બેઠો હતો. રિક્ષાચાલકે ઋષિ પાસેથી રૂ. 20 ભાડું નક્કી કર્યું હતું. રિક્ષાચાલક ઋષિને લઈને કાલુપુર રેવડી બજાર પાસે પહોંચ્યો હતો. આરોપીઓએ રૂ.1600 રોકડા અને મોબાઈલ લૂંટી લીધો
ચાલકે અંધારામાં રિક્ષા ઉભી રાખી હતી. રિક્ષામાં બેઠેલા બંને શખ્સોએ ઋષિને માર મારવાનું શરૂ કરી દીધું હતું. બંનેએ છરી બતાવી ‘ચુપચાપ જે હોય તે આપી દે, નહીં તો છરી મારી દઈશ’ તેવી ધમકી આપી હતી. ડરી ગયેલા ઋષિ પાસેથી બંનેએ રૂ. 1600 રોકડા અને મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. ત્યારબાદ માર મારી રિક્ષાચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/05/1000672379_1788611279.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 09:06:45 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>રેવડી, બજાર, પાસે, પેસેન્જરને, છરી, બતાવી, રિક્ષા, ગેંગે, લૂંટી, લીધો:યુવક, બાવળાથી, બિહાર, જવા, ગીતા, મંદિર, આવ્યો, ત્યાંથી, રિક્ષામાં, કાલુપુર, રેલવે, સ્ટેશન, જતાં, લૂંટાયો</media:keywords>
</item>

<item>
<title>વઢવાણના રામપરા ગામે શ્રી શુરવીર કુબેરેશ્વર દાદાનો અષ્ટમ પાટોત્સવ યોજાયો:દેવગતિ તિથિ નિમિત્તે વિષ્ણુયાગ મહોત્સવ યોજાયો, મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ દર્શન કર્યા.</title>
<link>https://www.narsim7news.com/p/13</link>
<guid>https://www.narsim7news.com/p/13</guid>
<description><![CDATA[ વઢવાણ તાલુકાના રામપરા ગામમાં શૂરવીર કુબેરેશ્વર દાદાની દેવગતિ તિથિ અને આઠમા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિષ્ણુયાગ મહોત્સવનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા હાજર રહ્યા હતા. તેમણે કુબેરેશ્વર દાદાના દર્શન કર્યા અને પૂજા કરી આશીર્વાદ લીધા. ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ કુબેરેશ્વરધામ રામપરા પરિવાર અને દાદાના સેવક દિનભા ચાવડા સાથે મુલાકાત કરી હતી. વિષ્ણુયાગ મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા. તેમણે દાદાના દર્શન કર્યા.  કુબેરેશ્વર દાદાના પાટોત્સવના આ કાર્યક્રમથી રામપરા ગામમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/05/93196034-6c86-4c44-9e1c-9e29a8c1f2e7_1788612911477.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 09:06:45 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>વઢવાણના, રામપરા, ગામે, શ્રી, શુરવીર, કુબેરેશ્વર, દાદાનો, અષ્ટમ, પાટોત્સવ, યોજાયો:દેવગતિ, તિથિ, નિમિત્તે, વિષ્ણુયાગ, મહોત્સવ, યોજાયો, મુખ્ય, દંડક, જગદીશભાઈ, મકવાણાએ, દર્શન, કર્યા.</media:keywords>
</item>

<item>
<title>શિક્ષક દિને ઉજવણી વચ્ચે વિરોધનો સૂર:જૂની પેન્શન યોજના અને TET મુદ્દે રાજ્યભરના શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી, ગુજરાતના પ્રાથમિક શિક્ષકોનું આંદોલન હવે દિલ્હી પહોંચશે</title>
<link>https://www.narsim7news.com/p/15</link>
<guid>https://www.narsim7news.com/p/15</guid>
<description><![CDATA[ સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં જ્યારે 5 સપ્ટેમ્બરના રોજ &#039;શિક્ષક દિન&#039; ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે ગુજરાતના પ્રાથમિક શિક્ષકોએ પોતાના પડતર પ્રશ્નોને વાચા આપવા માટે કાળી પટ્ટી ધારણ કરીને અનોખો વિરોધ નોંધાવ્યો છે. લાંબા સમયથી પેન્ડિંગ રહેલી વિવિધ ન્યાયિક માંગણીઓ પ્રત્યે સરકારનું ધ્યાન દોરવા માટે રાજ્યના ખૂણે-ખૂણે આવેલા સરકારી પ્રાથમિક શાળાઓના ગુરુજનોએ ફરજ દરમિયાન કાળી પટ્ટી બાંધીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.  ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ શિક્ષકોએ એકસૂરે અવાજ ઉઠાવીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આ લડત હવે માત્ર ગુજરાત પૂરતી સીમિત નહીં રહે પરંતુ રાષ્ટ્રીય સ્તર સુધી લંબાવવામાં આવશે. જૂની પેન્શન યોજના અને TET મુક્તિ મુદ્દે આરપારનો મૂડ
શિક્ષકોની મુખ્ય અને વર્ષો જૂની માંગણીઓમાં જૂની પેન્શન યોજના (OPS) પુનઃ લાગુ કરવાની બાબત મોખરે રહી છે. આ ઉપરાંત ચાલુ સેવા દરમિયાન શિક્ષકો પર લાદવામાં આવતી TET પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવાની બાબત પણ આ વિરોધનું મુખ્ય કેન્દ્રબિંદુ બની છે. શિક્ષક આલમનું કહેવું છે કે વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા શિક્ષકોના હક્કો અને સામાજિક સુરક્ષા પ્રત્યે તંત્ર દ્વારા સતત આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. શિક્ષક દિન જેવા ગૌરવપૂર્ણ અવસરે પણ વિરોધ નોંધાવવા મજબૂર બનવું પડ્યું તે સ્થિતિ અત્યંત ગંભીર છે અને હવે તેઓ પોતાના હક્કો મેળવવા માટે કોઈપણ સ્તરે જવા તૈયાર છે. દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનની રણનીતિ
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ વિરોધ કાર્યક્રમની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે શિક્ષકોનો આ અસંતોષ હવે ગાંધીનગરથી નીકળીને દેશની રાજધાની નવી દિલ્હી સુધી પહોંચશે. રાજ્યકક્ષાએ શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યા બાદ હવે દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે વિશાળ ધરણાં અને દેખાવો યોજવા માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સંસદના આગામી શિયાળુ સત્ર દરમિયાન દેશભરના શિક્ષકોની સાથે ગુજરાતના પ્રતિનિધિઓ પણ રાષ્ટ્રીય સ્તરના વિરોધ પ્રદર્શનમાં સક્રિયપણે જોડાશે અને કેન્દ્ર સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરશે. તબક્કાવાર આંદોલન તેજ કરવાની આકરી ચીમકી
શિક્ષક સંઘ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા એક્શન પ્લાન અનુસાર, જો આગામી દિવસોમાં સરકાર દ્વારા જૂની પેન્શન યોજના તેમજ અન્ય વહીવટી પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સકારાત્મક પગલાં ભરવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. તાલુકા અને જિલ્લા કક્ષાએથી શરૂ કરીને પાટનગર ગાંધીનગર અને છેક દિલ્હી સુધીના તબક્કાવાર કાર્યક્રમોનું આયોજન થશે. શિક્ષકોએ ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ વિદ્યાર્થીઓના શિક્ષણકાર્યને ખલેલ પહોંચાડવા માંગતા નથી, પરંતુ પોતાના ભવિષ્ય અને ન્યાય માટે આખરી લડાઈ લડવા સંપૂર્ણપણે કટિબદ્ધ છે. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/05/1001694700_1788611515.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 09:06:45 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>શિક્ષક, દિને, ઉજવણી, વચ્ચે, વિરોધનો, સૂર:જૂની, પેન્શન, યોજના, અને, TET, મુદ્દે, રાજ્યભરના, શિક્ષકોએ, કાળી, પટ્ટી, ધારણ, કરી, ગુજરાતના, પ્રાથમિક, શિક્ષકોનું, આંદોલન, હવે, દિલ્હી, પહોંચશે</media:keywords>
</item>

<item>
<title>અદાણી ગેસ બિલના નામે ઠગાઈ, 6 મહિનામાં 35 કિસ્સા:નારોલમાં ગેસ બિલ અપડેટના નામે યુવકના ફોનમાં APK ફાઈલ ડાઉનલોડ કરાવી 1 લાખ પડાવ્યા</title>
<link>https://www.narsim7news.com/p/16</link>
<guid>https://www.narsim7news.com/p/16</guid>
<description><![CDATA[ ટ્રાફિક ઈ-ચલણ બાદ સાયબર ઠગોએ ગેસ બિલ પેમેન્ટ અને કનેક્શન કાપી નાખવાની ધમકી આપીને સાયબર ફ્રોડ આચરવાનો નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. ફેક APK ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી પૈસા પડાવતા આ નેટવર્કનો શિકાર નારોલનો યુવક બન્યો છે. અદાણી ગેસ બિલ અપડેટના નામે લિંક ડાઉનલોડ કરાવી ઠગ ટોળકીએ યુવકના ખાતામાંથી ₹1 લાખ પડાવી લેતાં નારોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 6 મહિનામાં જ ગેસ બિલ અને કનેક્શન કાપવાના નામે APK ફાઈલ ડાઉનલોડ કરાવી ચોરી કરવાના 35થી વધુ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. &#039;અદાણી ગેસ બિલ અપડેટ&#039; નામની બે APK ફાઈલ મોકલી
નારોલમાં રહેતા અને વટવા GIDCની ખાનગી કંપનીમાં ટેકનિશિયન તરીકે કામ કરતાં કીર્તીકુમાર પટેલને ગત 28 ઓગસ્ટે તેમના જમાઈ રીતુલકુમારે વોટ્સએપ પર અદાણી ગેસ બિલ ભરવાની એક નોટિસ ફોરવર્ડ કરી હતી. નોટિસમાં આપેલા નંબર પર સંપર્ક કરતાં ગઠિયાએ અદાણી ગેસના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી વોટ્સએપ પર &#039;અદાણી ગેસ બિલ અપડેટ&#039; નામની બે APK એપ્લિકેશન મોકલી હતી. ફોન હેક કરી બેંકમાંથી ₹1 લાખ ઉપાડી લીધા હતા
કીર્તીકુમારે આ એપ્લિકેશન મોબાઈલમાં ઇન્સ્ટોલ કરતાં જ તેમનો ફોન હેક થઈ ગયો હતો. ત્યારબાદ તેમના બેંક ખાતામાંથી ટુકડે-ટુકડે ₹1 લાખ ડેબિટ થઈ ગયા હતા. કીર્તીકુમારે સાયબર હેલ્પલાઈન 1930 પર જાણ કર્યા બાદ નારોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સાયબર ઠગો સામે ગુનો નોંધાવ્યો છે. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/05/1000645903_1788598472.png" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 09:06:45 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>અદાણી, ગેસ, બિલના, નામે, ઠગાઈ, મહિનામાં, કિસ્સા:નારોલમાં, ગેસ, બિલ, અપડેટના, નામે, યુવકના, ફોનમાં, APK, ફાઈલ, ડાઉનલોડ, કરાવી, લાખ, પડાવ્યા</media:keywords>
</item>

<item>
<title>MSU કોમર્સ ફેકલ્ટીમાં શિક્ષક દિનની ઉજવણી:વિદ્યાર્થીઓએ શિક્ષકો માટે ભાવસભર કાર્યક્રમનું આયોજન કર્યું, રમતો રમાડી</title>
<link>https://www.narsim7news.com/p/17</link>
<guid>https://www.narsim7news.com/p/17</guid>
<description><![CDATA[ વડોદરામાં ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની કોમર્સ ફેકલ્ટીમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. ૫ સપ્ટેમ્બરના રોજ T.Y. B.Com અને MSA (UG)ના વિદ્યાર્થીઓએ &#039;યાદોં કે પાંને&#039; થીમ પર એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ ભાવસભર રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચન અને દીપ પ્રાગટ્યથી થઈ હતી. હાજર રહેલા સૌએ રાષ્ટ્રગીત &#039;વંદે માતરમ&#039; અને યુનિવર્સિટી ગીત ગાયું હતું. મુખ્ય બિલ્ડિંગના આસિસ્ટન્ટ કોઓર્ડિનેટર ડૉ. ગરીમા મેડમે પ્રેરણાદાયી સંબોધન કર્યું. અધ્યાપકોએ પણ પોતાના અનુભવો શેર કર્યા. તેમણે વિદ્યાર્થીઓને જીવનમૂલ્યો, શિસ્ત, નૈતિકતા અને શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું. આ ઉજવણીમાં મનોરંજન અને નોસ્ટાલ્જિયાનો સારો સમન્વય જોવા મળ્યો. વિદ્યાર્થીઓએ એક નાટક રજૂ કર્યું. તેમાં વિદ્યાર્થીજીવનથી લઈને વ્યાવસાયિક જીવન સુધીની સફરમાં શિક્ષકોના યોગદાનને બતાવવામાં આવ્યું હતું. શિક્ષકો માટે &#039;ઇમોજી પરથી ગીત ઓળખો&#039; અને &#039;ડાયલોગ પરથી મૂવી ઓળખો&#039; જેવી રમતો પણ રમાડવામાં આવી હતી. કાર્યક્રમનું ખાસ આકર્ષણ &#039;બાળપણના ફોટા પરથી શિક્ષકને ઓળખો&#039; રમત હતી. શિક્ષકોના બાળપણના ફોટા સ્ક્રીન પર બતાવવામાં આવ્યા. આ પ્રવૃત્તિથી વાતાવરણ હાસ્ય અને આનંદથી ભરાઈ ગયું. વિદ્યાર્થીઓએ તમામ શિક્ષકોને સમર્પિત એક ખાસ ગીત પણ રજૂ કર્યું. આ પ્રસંગે કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો. (ડૉ.) પ્રજ્ઞેશ શાહે આશીર્વચન આપ્યા. તેમણે વિદ્યાર્થીઓના આયોજન અને શિક્ષકો પ્રત્યેની કૃતજ્ઞતાની ભાવનાને બિરદાવી. મુખ્ય બિલ્ડિંગના કોઓર્ડિનેટર ડૉ. નિધિ અર્ગડેએ પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી. વિદ્યાર્થીની પ્રાક્ષી જૈને શિક્ષકોને સમર્પિત પોતાની લખેલી કવિતા રજૂ કરી. ઔપચારિક કાર્યક્રમ પછી શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે &#039;લીંબુ-ચમચી રેસ&#039; અને &#039;બ્રાન્ડ ઓળખો&#039; જેવી રમતો રમાડવામાં આવી. આખા કાર્યક્રમ દરમિયાન શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે આનંદ, હાસ્ય અને આત્મીયતાનું વાતાવરણ રહ્યું. &#039;યાદોં કે પાંને&#039; માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ શિક્ષકો પ્રત્યે આદર, પ્રેમ અને કૃતજ્ઞતા બતાવતી એક સુંદર યાદ બની રહ્યો. T.Y. B.Com અને MSA (UG)ના વિદ્યાર્થીઓના આ સુંદર આયોજનને હાજર રહેલા સૌએ બિરદાવ્યું. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/05/0af723b2-cdae-44d2-8d85-66ee2821dff9_1788611837260.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 09:06:45 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>MSU, કોમર્સ, ફેકલ્ટીમાં, શિક્ષક, દિનની, ઉજવણી:વિદ્યાર્થીઓએ, શિક્ષકો, માટે, ભાવસભર, કાર્યક્રમનું, આયોજન, કર્યું, રમતો, રમાડી</media:keywords>
</item>

<item>
<title>લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત:દારૂની આદતવાળા યુવકનું ઉલટી અને છાતીના દુખાવા બાદ મોત, મૃતકના બ્લડ સેમ્પલ FSLમાં મોકલ્યા</title>
<link>https://www.narsim7news.com/p/18</link>
<guid>https://www.narsim7news.com/p/18</guid>
<description><![CDATA[ ભાવનગરમાં તાજેતરમાં સર્જાયેલા ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં વધુ એક યુવકના શંકાસ્પદ મોતે સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે. સિહોર ખાતે નવનાથ મહાદેવના દર્શન કરીને ઘરે પરત ફરેલા એક રિક્ષાચાલક યુવાનની તબિયત અચાનક લથડી હતી. સતત ઉલટીઓ અને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડતાં તેમને તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. પત્ની સમક્ષ તેણે કેફી પીણું પીધુ હોવાની વાત કર્યા બાદ વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું કરૂણ મોત નીપજ્યું હતું, જેને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સિહોર દર્શન કરી પરત ફર્યા બાદ અચાનક તબિયત કથળી
ઘટનાની વિગતો અનુસાર શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ રામેશ્વર રોડ પર રહેતા અને સ્કૂલ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 48 વર્ષીય ભાવેશભાઈ ધીરુભાઈ વસાણી ગઈકાલે સિહોર તાલુકામાં આવેલા નવનાથ મહાદેવના દર્શનાર્થે ગયા હતા. ત્યાંથી દર્શન પૂર્ણ કરી તેઓ ઘરે પરત ફર્યા ત્યારે અચાનક તેમની તબિયત બગડી ગઈ હતી. તેમને છાતીમાં દુખાવો શરૂ થયો હતો અને ઉપરાઉપરી ઉલટીઓ થવા લાગી હતી. સ્થિતિ વધુ નાજુક જણાતાં પરિવારજનો તેમને તાબડતોબ સર ટી. હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં સઘન સારવાર દરમિયાન આજે વહેલી સવારે તેમનું નિધન થયું હતું. પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો, FSL તપાસ તેજ
બનાવની ગંભીરતા અને અગાઉના લઠ્ઠાકાંડના સંદર્ભને જોતાં ભાવનગર સિટી ડીવાયએસપી આર.આર. સિંઘાલ તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે હોસ્પિટલ ચોકી ખાતે એમએલસી નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. મૃતકના શરીરમાં ઝેરી મિથેનોલ કે અન્ય કોઈ કેમિકલનું પ્રમાણ હતું કે નહીં તે વૈજ્ઞાનિક રીતે સ્પષ્ટ કરવા માટે દર્દી જીવિત હતા તે દરમિયાન લેવાયેલા બ્લડ સેમ્પલ ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે ચકાસણી માટે મોકલી દેવાયા છે. આ ઉપરાંત પોસ્ટમોર્ટમ દરમિયાન લેવાયેલા વિસેરા જૂનાગઢ એફએસએલ ખાતે વધુ પૃથક્કરણ અર્થે રવાના કરવામાં આવ્યા છે. સિટી ડીવાયએસપીનું સત્તાવાર નિવેદન
સમગ્ર મામલે ભાવનગર સિટી ડીવાયએસપી આર.આર. સિંઘાલે જણાવ્યું હતું કે સર ટી. હોસ્પિટલમાંથી ભાવેશ ધીરુભાઈ વસાણીના શંકાસ્પદ મોત અંગેની એમએલસી મળી છે. દર્દીને જ્યારે દાખલ કરવામાં આવ્યા ત્યારે છાતીમાં દુખાવો અને ઉલટીની તકલીફ હતી. તેમના પત્નીના જણાવ્યા અનુસાર મૃતકને કેફી પીણું કે આલ્કોહોલ લેવાની આદત હતી. જેથી આ મૃત્યુને શંકાસ્પદ ગણીને તબીબો દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. મિથેનોલના એંગલને ધ્યાનમાં રાખીને વિસેરા સુરક્ષિત કરી લેવાયા છે તેમજ અગાઉથી લેવાયેલું બ્લડ સેમ્પલ ગાંધીનગર પરીક્ષણ માટે મોકલી આપ્યું છે. FSL રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે
ઉલ્લેખનીય છે કે ભાવનગર પંથકમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અગાઉ 13 જેટલા નિર્દોષ લોકોના કમકમાટીભર્યા મોત થઈ ચૂક્યા છે, જેના કારણે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. આ કિસ્સામાં યુવકનું મોત ખરેખર ઝેરી કેફી પીણા કે મિથેનોલના સેવનથી થયું છે કે પછી હાર્ટ એટેક સહિતના અન્ય કોઈ કુદરતી શારીરિક કારણોસર, તે રહસ્ય એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. ઘરના મોભી સમા યુવાન રિક્ષાચાલકના આકસ્મિક અવસાનથી પરિવારજનોમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/05/dbgifmagic-13_1788612175.gif" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 09:06:45 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>લઠ્ઠાકાંડ, બાદ, વધુ, એક, શંકાસ્પદ, મોત:દારૂની, આદતવાળા, યુવકનું, ઉલટી, અને, છાતીના, દુખાવા, બાદ, મોત, મૃતકના, બ્લડ, સેમ્પલ, FSLમાં, મોકલ્યા</media:keywords>
</item>

<item>
<title>અમેરિકાના ડ્રગ્સ રેકેટમાં પાટીદારને 54 મહિનાની જેલ:ભાવેશ લાઠિયા સુરતના પ્લુટો બિઝનેસ સેન્ટરમાંથી ઓપરેટ કરતો ડ્રગ્સ નેટવર્ક, ફેક્ટરી પર ભાસ્કરની તપાસમાં ઝૂંપડપટ્ટી નીકળી</title>
<link>https://www.narsim7news.com/p/19</link>
<guid>https://www.narsim7news.com/p/19</guid>
<description><![CDATA[ વર્ષ 2022માં આપીયોઈડ &#039;ફેન્ટાનિલ&#039; ડ્રગ્સ રેકેટમાં અમેરિકાની બ્રુકલિન ફેડરલ કોર્ટે 37 વર્ષીય ભાવેશ લાઠિયાને 54 મહિના (સાડા ચાર વર્ષ)ની જેલની સજા ફટકારી છે અને 24,560 ડોલરનો દંડ ફટકાર્યો છે. ફાર્માસિસ્ટ ભાવેશ લાઠિયાએ ડ્રગ્સ નેટવર્કનું એપી સેન્ટર સુરતના અમરોલી-છાપરાભાઠાના પ્લુટો મલ્ટિપ્લેક્સ એન્ડ બિઝનેસ સેન્ટરની દુકાન નં.-7માં ઊભું કર્યું હતું. આ નાનકડી ઓફિસમાંથી ભાવેશે મેક્સિકોની કુખ્યાત ડ્રગ્સ માફિયા ગેંગ &#039;સિનાલોઆ કાર્ટેલ&#039; સાથે સીધું કનેક્શન બનાવ્યું હતું. 2024માં 100 કિલો કેમિકલ મેક્સિકો મોકલ્યું હતું
4 જાન્યુઆરી, 2025ના ન્યૂયોર્કમાં રેક્સ્ટર કેમિકલના સ્થાપક ભાવેશ લાઠિયાની ધરપકડ કરવામાં આવી હતી. કારણ કે તે ફેન્ટાનિલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કેમિકલને ગેરકાયદે રીતે મેક્સિકોના કુખ્યાત સિનાલોઆ કાર્ટેલ અને અન્ય ડ્રગ હેરફેર કરનારાને મોકલતો હતો. ઓક્ટોબરમાં વીડિયો કોલમાં તેની પાસે કેમિકલ મગાવનાર કોઈ ડ્રગ માફિયા નહીં, પણ HSI (હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટિગેશન)નો અંડરકવર એજન્ટ હતો. આ પહેલાં ભાવેશ લઠિયાએ ફેબ્રુઆરી 2024માં મેક્સિકોમાં ડ્રગ સ્મગલરને આ પ્રકારનું 100 કિલો કેમિકલ મોકલ્યું હતું. કેમિકલ ફેક્ટ્રીના એડ્રેસ પર માત્ર ઝૂંપડપટ્ટીઓ નીકળી
ભાવેશ લાઠિયાની સુરતમાં કંપનીના એડ્રેસ પર દિવ્ય ભાસ્કરે રિયાલિટી ચેક કર્યું હતું. છાપરાભાઠા સ્થિતિ પ્લુટો બિઝનેસ સેન્ટરની દુકાન નં.7માં હેડ ઓફિસ હતી, ત્યાં હાલ અન્ય કોઈ બિઝનેસ કંપની ચાલી રહી છે. આશ્ચર્ય જનક બાબત એ છે કે, કંપની દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ પર અપાયેલું બીજું સરનામું અમરોલીની રઘુવીર સોસાયટી હતું, જે એક સામાન્ય રેસિડેનશિયલ વિસ્તાર છે. તદુપરાંત &#039;ExportersIndia.com&#039; પર દર્શાવેલા લોકેશન પર તપાસ કરતા ત્યાં કોઈ કેમિકલ ફેક્ટરી નહીં પરંતુ માત્ર ઝૂંપડપટ્ટીઓ જોવા મળી હતી. આ તમામ વિગતો સાબિત કરે છે કે, શેલ કંપનીઓ અને નકલી સરનામાના સહારે આ ઇન્ટરનેશનલ નેટવર્ક ઓપરેટ થતું હતું. કંપનીમાં 30 કર્મચારીઓ અને 50 લાખના ટર્નઓવરનો દાવો
ભાવેશ લાઠિયાએ વર્ષ 2022માં સુરતમાં &#039;રેક્સ્ટર કેમિકલ&#039; (Raxuter Chemicals) નામની કંપનીની સ્થાપના કરી હતી. કંપનીના ઓફિશિયલ દસ્તાવેજોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે એક્સપોર્ટર, મેન્યુફેક્ચરર અને સપ્લાયર તરીકે કાર્યરત છે. વર્ષ 2022માં કંપનીનું વાર્ષિક ટર્નઓવર 50 લાખ રૂપિયા દર્શાવવામાં આવ્યું હતું અને તેમાં આશરે 30 કર્મચારીઓ કામ કરતા હોવાનું નોંધાયું હતું. ફાર્માસ્યુટિકલની ડિગ્રી ધરાવતો ભાવેશ કેમિકલ કોમ્પોઝિશનની ટેકનિકલ જાણકારી ધરાવતો હતો, જેનો દુરુપયોગ તેણે પ્રતિબંધિત પ્રિકર્સર કેમિકલ્સ વિદેશ મોકલવા માટે કર્યો હતો. કેવી રીતે બને છે ફેન્ટાનિલ?
પાઇપેરિડીન કેમિકલ મુખ્ય આધાર છે. જેમાં ફિનાઈલ અને પ્રોપિયોનાઈલ જેવાં કેમિકલ ઉમેરવામાં આવે છે. ફેન્ટાનિલ બનાવવાની પ્રક્રિયાને પાથવે કહેવામાં આવે છે. દરેક પાથવેમાં અલગ અલગ પ્રકારનાં કેમિકલનાં કોમ્પોનન્ટ હોય છે. જેને પ્રિકર્સર કહેવામાં આવે છે. આ પ્રિકર્સરને યોગ્ય રીતે મિક્સ કરવામાં આવે છે. ત્યાર બાદ ફેન્ટાનિલના બ્લોક્સ બને છે અને તેને ડિસ્ટ્રિબ્યુશન માટે તૈયાર કરી દેવામાં આવે છે. આ સમાચાર પણ વાંચો ટ્રમ્પ જેનાથી ડરે છે એ ડ્રગ્સ ગુજરાતમાં બનતું, મેક્સિકનમાફિયાઓને સુરતથી ડ્રગ્સ સપ્લાય અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જેની સામે વાંધો છે એ ફેન્ટાનિલ બનાવવામાં ઉપયોગમાં લેવાતું કેમિકલ ગુજરાતથી મોકલાઈ રહ્યું હતું. સુરત, અંકલેશ્વર અને ભરૂચથી દિલ્હી, મુંબઈ, ગોવા અને પછી દુબઈથી એર કાર્ગો મારફત મેક્સિકો, ગ્વાટેમાલા જેવા લેટિન અમેરિકન દેશો દ્વારા તો ક્યારેક ડાયરેક્ટ ન્યૂયોર્ક સપ્લાય કરતા હતો. આ આરોપ સુરતની રેક્સટર કેમિકલ્સ અને એથોસ કેમિકલ્સ પર US સરકારે લગાવ્યો હતો. એનો અર્થ એ હતો કે ગુજરાતમાં ખતરનાક લેટિન અમેરિકન કાર્ટેલ્સ જેવી કે સિનાલોઆનો પગપેસારો થઇ રહ્યો અને ગુજરાત મેક્સિકનડ્રગ્સમાફિયાની જાળમાં ફસાઈ રહ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/05/05-09-2026-comp-1_1788612229.gif" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 09:06:45 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>અમેરિકાના, ડ્રગ્સ, રેકેટમાં, પાટીદારને, મહિનાની, જેલ:ભાવેશ, લાઠિયા, સુરતના, પ્લુટો, બિઝનેસ, સેન્ટરમાંથી, ઓપરેટ, કરતો, ડ્રગ્સ, નેટવર્ક, ફેક્ટરી, પર, ભાસ્કરની, તપાસમાં, ઝૂંપડપટ્ટી, નીકળી</media:keywords>
</item>

<item>
<title>નવસારીના શિક્ષકોને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે મળ્યા એવોર્ડ:દિલ્હીથી દક્ષિણ ગુજરાત સુધી ઓળખ, જિલ્લા કક્ષાએ પણ ગુરુજનોનું સન્માન</title>
<link>https://www.narsim7news.com/p/20</link>
<guid>https://www.narsim7news.com/p/20</guid>
<description><![CDATA[ નવસારી જિલ્લા શિક્ષણ વિભાગે શૈક્ષણિક સત્ર 2026-27 માટે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ શહેરની એસ.એસ. અગ્રવાલ કોલેજ ખાતે યોજાયો હતો. જેમાં મંત્રી નરેશ પટેલ અને ધારાસભ્ય રાકેશ દેસાઈ હાજર રહ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે ખાસ યોગદાન આપનારા, વર્ગખંડમાં નવી ટેકનોલોજી અને પ્રયોગો કરનારા શિક્ષકોને સન્માનિત કરાયા. અંતરિયાળ અને પછાત વિસ્તારોમાં બાળકોને ભણાવીને સારા પરિણામ લાવનારા શિક્ષકોને પણ બિરદાવવામાં આવ્યા. તેમને મંચ પર શાલ, મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયક હાજર રહ્યા હતા. તેમની સાથે જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષણવિદો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. મહાનુભાવોએ શિક્ષકોની મહેનત અને શિક્ષણ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે શિક્ષક એ રાષ્ટ્રના ઘડતરનો પાયો છે. નવસારીના શિક્ષકોને માત્ર સ્થાનિક કક્ષાએ જ નહીં, પણ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે પણ ઓળખ મળી છે. રાષ્ટ્રીય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે સમગ્ર ગુજરાતમાંથી પસંદ થયેલા શિક્ષકોમાં નવસારીના એક શિક્ષકનો સમાવેશ થાય છે. તેમને નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા છે. આ ઉપરાંત, રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પણ નવસારી જિલ્લાના બે શિક્ષકોની પસંદગી થઈ છે. આનાથી સમગ્ર જિલ્લાનું ગૌરવ વધ્યું છે. નવસારી બોર્ડ પરીક્ષાઓમાં 100 ટકા પરિણામ મેળવવાથી લઈને આધુનિક શૈક્ષણિક પદ્ધતિઓ અપનાવવામાં આગળ રહ્યું છે. સમર્પિત શિક્ષકોના પ્રયાસોથી જિલ્લાએ સાબિત કર્યું છે કે જ્યાં શિક્ષકની નિષ્ઠા અને પ્રતિબદ્ધતા હોય, ત્યાં સારા પરિણામ મળે છે. કાર્યક્રમના અંતે હાજર રહેલા સૌએ સન્માનિત શિક્ષકોને શુભકામનાઓ પાઠવી હતી. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/05/13f760a8-5d60-4d87-9645-cab8a992d648_1788610012586.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 09:06:45 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>નવસારીના, શિક્ષકોને, રાષ્ટ્રીય, અને, રાજ્ય, સ્તરે, મળ્યા, એવોર્ડ:દિલ્હીથી, દક્ષિણ, ગુજરાત, સુધી, ઓળખ, જિલ્લા, કક્ષાએ, પણ, ગુરુજનોનું, સન્માન</media:keywords>
</item>

<item>
<title>ભરૂચમાં જસ્ટિસ કોગજેના અધ્યક્ષસ્થાને લીગલ મેગા કેમ્પ યોજાયો:જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને વહીવટી તંત્ર દ્વારા લાભાર્થીઓને સહાય અપાઈ</title>
<link>https://www.narsim7news.com/p/21</link>
<guid>https://www.narsim7news.com/p/21</guid>
<description><![CDATA[ ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે રોટરી ક્લબ ખાતે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના એક્ઝિક્યુટિવ ચેરમેન જસ્ટિસ એ. વાય. કોગજેના અધ્યક્ષસ્થાને આ કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ પસંદગી પામેલા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક પ્રમાણપત્રો અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ સરકારી વિભાગોના સ્ટોલ્સની મુલાકાત લીધી સહાય વિતરણ બાદ જસ્ટિસ કોગજે તેમજ અન્ય હાજર રહેલા મહાનુભાવોએ સ્થળ પર ઊભા કરાયેલા વિવિધ સરકારી વિભાગોના પ્રદર્શન સ્ટોલ્સની ઉત્સાહભેર મુલાકાત લીધી હતી અને યોજનાકીય માહિતી મેળવી હતી. કાર્યક્રમને સંબોધતા જસ્ટિસ એ. વાય. કોગજેએ જણાવ્યું કે, સરકાર અને સમાજના છેવાડાના માનવી વચ્ચે જો કોઈ ખાસ કડી હોય તો તે પેરા લીગલ વોલન્ટિયર્સ છે. આ વોલન્ટિયર્સ આપણા જ સમાજના યુવાનો અને અનુભવી લોકો છે, જે મુશ્કેલીના સમયે સામાન્ય નાગરિકને યોગ્ય મદદ મેળવવામાં સાચું માર્ગદર્શન આપે છે. નાગરિકો સુધી યોજનાઓના સીધા લાભ પહોંચાડવા પર ભાર જસ્ટિસ કોગજેએ વધુમાં ઉમેર્યું હતું કે NALSA અને DLSA જેવી સંસ્થાઓ પર સરકારને પૂરો વિશ્વાસ છે, જેના દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો અને સાચો લાભ છેવાડાના લાભાર્થી સુધી સરળતાથી પહોંચી રહ્યો છે. આ મેગા કેમ્પમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ જે. આર. શાહ, મેમ્બર સેક્રેટરી એચ.એમ. પવાર, DLSA સેક્રેટરી પી. પી. મોકાશી, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર આર. બી. ભોગાયતા, પ્રાંત અધિકારી મનિષા મનાણી અને મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ન્યાયાલય સંકુલ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કાનૂની સેવા સત્તામંડળના સભ્યો, પેરા લીગલ વોલન્ટિયર્સ અને મોટી સંખ્યામાં સ્થાનિક લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મેગા કેમ્પ પૂર્ણ થયા બાદ જસ્ટિસ કોગજેએ જિલ્લા ન્યાયાલય સંકુલ ખાતે મીડિયેટર, PLV અને પેનલ એડવોકેટ્સ સાથે ખાસ સમીક્ષા બેઠક યોજીને કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/05/d5728725-8522-4e69-99a1-9a75478bb15c_1788607845917.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 09:06:45 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>ભરૂચમાં, જસ્ટિસ, કોગજેના, અધ્યક્ષસ્થાને, લીગલ, મેગા, કેમ્પ, યોજાયો:જિલ્લા, કાનૂની, સેવા, સત્તામંડળ, અને, વહીવટી, તંત્ર, દ્વારા, લાભાર્થીઓને, સહાય, અપાઈ</media:keywords>
</item>

<item>
<title>તહેવારોમાં જુગારની મોજ પડી ભારે:સુરત પોલીસે ધાબા, ગેલેરી અને કાર મેળા પર ત્રાટકી 136 જુગારીઓને ઝડપી લીધા</title>
<link>https://www.narsim7news.com/p/22</link>
<guid>https://www.narsim7news.com/p/22</guid>
<description><![CDATA[ સુરત શહેરમાં પવિત્ર શ્રાવણી તહેવારો અને જન્માષ્ટમી પર્વ દરમિયાન શાંતિ, સલામતી તેમજ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અકબંધ જળવાઈ રહે તે હેતુથી સુરત શહેર પોલીસે અસામાજિક તત્વો સામે વ્યાપક સઘન ઝુંબેશ હાથ ધરી હતી. શીતળા સાતમ અને જન્માષ્ટમીના પાવન અવસરે એકતરફ શહેરીજનો ઉત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણીમાં લીન હતા, ત્યારે બીજી તરફ તહેવારોના નામે ગેરકાયદે દારૂ અને જુગારની મહેફિલ જમાવી બેઠેલા તત્વો સામે પોલીસે આક્રમક કાર્યવાહી કરી હતી. શહેરભરના વિવિધ વિસ્તારોમાં ખાસ ઓપરેશન હાથ ધરીને પોલીસે પ્રોહીબિશનના 146 કેસ નોંધ્યા હતા તેમજ ધાબા, ગેલેરીઓ અને કાર મેળાઓ પર દરોડા પાડીને પત્તા ટીંચતા 136 જેટલા જુગારીઓને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. દારૂબંધીના બે દિવસમાં 146 કેસો, લાખોનો મુદ્દામાલ અને 70 આરોપીઓ પકડાયા
દારૂબંધીના કડક અમલીકરણ માટે સાતમ અને આઠમના બે દિવસ દરમિયાન સુરત શહેર પોલીસ દ્વારા તમામ સંવેદનશીલ પોઇન્ટ્સ પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં 3 સપ્ટેમ્બર એટલે કે સાતમના દિવસે પોલીસે વિવિધ વિસ્તારોમાં અચાનક છાપા મારીને પ્રોહીબિશન ધારા હેઠળ કુલ 76 કેસો કર્યા હતા અને ₹2,67,260 ની કિંમતનો ગેરકાયદે દારૂ તથા અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે 4 સપ્ટેમ્બર એટલે કે જન્માષ્ટમીના દિવસે પણ ઝુંબેશ ચાલુ રાખીને વધુ 70 કેસો દાખલ કરી 70 જેટલા શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. આમ, માત્ર 48 કલાકના ટૂંકા ગાળામાં 146 કેસો નોંધીને પોલીસે બૂટલેગરો અને નશાખોરોમાં ભારે ફફડાટ ફેલાવી દીધો હતો. 23 ગુનાઓમાં 136 જુગારીઓ રંગેહાથ ઝડપાયા
તહેવારોના દિવસોમાં જુગાર રમવાની વર્ષો જૂની અનિષ્ટ પ્રથા સામે પોલીસે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી હતી. શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ગુપ્ત બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરી મકાનો, ધાબાઓ અને ખુલ્લી જગ્યાઓ પર સતત વોચ ગોઠવવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ અલગ-અલગ પોલીસ મથકોમાં જુગારધારા હેઠળ કુલ 23 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં જુગાર રમતા કુલ 136 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જુગારના અડ્ડાઓ પરથી લાખો રૂપિયાની રોકડ રકમ તેમજ પત્તા અને અન્ય સાધન-સામગ્રી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વરાછા અને કાપોદ્રામાં ધાબા-ગેલેરીઓમાંથી મહિલાઓ સહિત શખ્સો પકડાયા
હીરા ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર ગણાતા વરાછા, કાપોદ્રા અને પુણાગામ વિસ્તારમાં જુગારના સૌથી વધુ કેસો સામે આવ્યા હતા. વરાછાના જગદીશ નગર સ્થિત હરિદર્શન એપાર્ટમેન્ટમાં પોલીસે બે અલગ-અલગ દરોડા પાડ્યા હતા, જેમાં એક ફ્લેટમાંથી 4 મહિલાઓ અને 5 પુરુષો મળી કુલ 9 લોકો ₹16,750 ના મુદ્દામાલ સાથે તેમજ સીડીના પેસેજમાંથી ડિલિવરી બોય સહિત 3 લોકો ₹16,980ની રોકડ સાથે ઝડપાયા હતા. આ ઉપરાંત વરાછાની ઘનશ્યામ નગર સોસાયટીના મકાન નંબર 196 માંથી 6 લોકો ₹10,620 અને મકાન નંબર 195 માંથી 12 લોકો ₹11,250 ની રોકડ સાથે ઝડપાયા હતા. જ્યારે એસએમસી ટેનામેન્ટના ખુલ્લા પ્લોટમાંથી 10 લોકો, નાના વરાછાની શક્તિ વિજય સોસાયટીમાંથી 9 લોકો ₹13,250 અને કાપોદ્રાની અક્ષર ડાયમંડ સોસાયટીની લોબીમાંથી 6 લોકો ₹12,400 સાથે ઝડપાયા હતા. રત્નકલાકારો, વેપારીઓ અને કાર મેળાના સંચાલકો પણ પત્તા ટીંચતા ઝડપાયા
પોલીસ કાર્યવાહીમાં એવી ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે કે ઝડપાયેલા 136 આરોપીઓમાં માત્ર રીઢા જુગારીઓ જ નહોતા, પરંતુ સમાજના પ્રતિષ્ઠિત ગણાતા વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા લોકો પણ સામેલ હતા. ઝડપાયેલાઓમાં મોટો વર્ગ હીરા ઘસતા રત્નકલાકારોનો હતો. સરથાણા વિસ્તારમાં આવેલા અવની કાર મેળામાંથી મેડિકલ સ્ટોરના સંચાલક, ઓનલાઇન વેપારી, એમ્બ્રોઇડરી કારખાનેદાર તેમજ કાર લે-વેચ કરતા 7 શખ્સો ₹11,920 સાથે ઝડપાયા હતા. આ ઉપરાંત સિંગણપોરની બાપા સીતારામ સોસાયટીમાંથી કોલેજિયન વિદ્યાર્થી અને હોઝિયરી વેપારી સહિત 7 લોકો ₹10,680 સાથે તેમજ અન્ય સ્થળોએથી ફૂલ વેચનારા, શાકભાજીના ફેરિયા અને ઓનલાઇન ડિલિવરી બોય પણ જુગાર રમતાં પોલીસ સકંજામાં આવી ગયા હતા. પાલમાં જરી કામદારો પાસેથી સૌથી મોટો ₹91,000નો મુદ્દામાલ જપ્ત
સમગ્ર ઝુંબેશ દરમિયાન સૌથી મોટી રકમ પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી મળી આવી હતી. પાલ સ્થિત સુમન મુદ્રા આવાસની બિલ્ડિંગ નંબર 20 પાસે આવેલી ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા 9 જરી કામદારોને પોલીસે કોર્ડન કરીને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ₹91,000 ની માતબર રોકડ રકમ કબ્જે કરી હતી. આ ઉપરાંત કતારગામ જીઆઈડીસી ખાતા નંબર પી-349 માંથી 8 શખ્સો પાસેથી ₹43,710 તેમજ અશ્વિનીકુમાર વિસ્તારના મોહનનગર ખાતા નંબર 21 માંથી 4 લોકો પાસેથી ₹27,000 ની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી. ધાબા, ગેલેરી અને નદી કિનારે ચાલતા અડ્ડાઓ પર પણ ત્રાટકી પોલીસ
પોલીસની નજરથી બચવા માટે જુગારીઓએ સોસાયટીઓના ધાબા અને નદી કિનારા જેવા નિર્જન સ્થળોની પસંદગી કરી હતી, પરંતુ પોલીસે ડ્રોન અને બાતમીદારોની મદદથી તમામને શોધી કાઢ્યા હતા. અશ્વિનીકુમાર વિસ્તારની ખોડીયાર નગર સોસાયટીમાંથી ₹11,320 અને શ્વેત રાજહંસ સોસાયટીના ધાબા પરથી ₹10,000 સાથે 4-4 લોકો પકડાયા હતા. આ ઉપરાંત મોહનબાગની ગેલેરીમાંથી 8 લોકો ₹10,220 સાથે, પુણાગામ નારાયણ નગરના ધાબા પરથી 4 લોકો ₹13,520 સાથે અને ગીતા નગરમાંથી 6 લોકો ₹10,000 સાથે ઝડપાયા હતા. ચોક બજારના પ્રભુનગરમાં બે અલગ રેડ પાડી 11 શખ્સો પાસેથી ₹20,310 તેમજ સિંગણપોરમાં તાપી નદીના પાળા પાસે વનજારાવાસમાંથી 3 શખ્સોને ₹15,100 ની રોકડ સાથે પકડી પાડી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/05/whatsapp-image-2026-09-05-at-50558-pm_1788608783.jpeg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 09:06:45 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>તહેવારોમાં, જુગારની, મોજ, પડી, ભારે:સુરત, પોલીસે, ધાબા, ગેલેરી, અને, કાર, મેળા, પર, ત્રાટકી, 136, જુગારીઓને, ઝડપી, લીધા</media:keywords>
</item>

<item>
<title>સત્ત્વવિકાસ સ્કૂલની 24મી વાર્ષિક જન્માષ્ટમીની ઉજવણી:‘યુગે યુગે કૃષ્ણ, યમુનાથી હોર્મુઝ સુધી’ થીમ સાથે પુરાણ અને વર્તમાન વચ્ચે અનોખો સેતુ રચાયો</title>
<link>https://www.narsim7news.com/p/3</link>
<guid>https://www.narsim7news.com/p/3</guid>
<description><![CDATA[ સત્ત્વવિકાસ સ્કૂલની 24મી વાર્ષિક જન્માષ્ટમી ઉજવણીમાં આ વર્ષે ‘યુગે યુગે કૃષ્ણ,યમુનાથી હોર્મુઝ સુધી’ થીમ સાથે પુરાણ અને વર્તમાન વચ્ચે અનોખો સેતુ રચાયો હતો. વિશ્વમાં ચાલી રહેલા સંઘર્ષ, અશાંતિ અને અંધકાર વચ્ચે ભગવાન કૃષ્ણના હજારો વર્ષ જૂના સંદેશની આજના સમયમાં પ્રસ્તુતતાને વિદ્યાર્થીઓએ નાટ્યાત્મક રીતે રજૂ કરી હતી. એક તરફ શાંત વહેતી યમુના અને બીજી તરફ તણાવથી ધબકતો હોર્મુઝ, એક તરફ વાંસળીના મધુર સૂર અને બીજી તરફ વિશ્વના સંઘર્ષનો ઘોંઘાટ—આ વિરોધાભાસ દ્વારા વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યો કે યુગ બદલાય તો શું કૃષ્ણનો સંદેશ પણ બદલાય? જન્માષ્ટમીની ઉજવણીમાં 150થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આશરે 170 જેટલા પ્રોપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કૃષ્ણજન્મથી શરૂ થયેલી પ્રસ્તુતિમાં કંસનો અત્યાચાર, કાલિય નાગનું દમન, ગોવર્ધનધારણ અને માખણચોરી જેવા પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા હતા. પ્રસ્તુતિમાં ‘કાલિય’ને માત્ર યમુનામાં રહેલા નાગ તરીકે નહીં, પરંતુ જ્યાં દ્વેષનું વિષ ફેલાય છે ત્યાં રહેલા અંધકારના પ્રતીક તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે, જ્યાં કરુણા અન્યાય સામે ઊભી થાય, સાહસ ભયને હરાવે, સહભાગિતા સ્વાર્થને ઓગાળે અને ધર્મ અંધકારમાં પ્રકાશ બને—ત્યાં કૃષ્ણના વિચારો ફરી જન્મે છે તે સંદેશ આપવામાં આવ્યો હતો. ઉજવણી દરમિયાન શાળાના શિક્ષણમૂલ્યોની ઝલક પણ જોવા મળી હતી. કરુણા, સહભાગિતા, સત્યનિષ્ઠા, ધર્મપરાયણતા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનું ગૌરવ જેવા મૂલ્યોને વિદ્યાર્થીઓની રજૂઆત દ્વારા ઉજાગર કરવામાં આવ્યા હતા. અંતે મટકી ફોડના ઉત્સાહભર્યા કાર્યક્રમથી સમગ્ર વાતાવરણ આનંદ અને ઉલ્લાસથી છલકાઈ ઊઠ્યું હતું. આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓએ સંદેશ આપ્યો કે કૃષ્ણ એટલે જીવનમાં સંતુલન, સંકટમાં સાહસ, સંબંધોમાં પ્રેમ, કર્મમાં નિષ્ઠા અને અંધકાર વચ્ચે પ્રકાશ શોધવાની અખૂટ શક્તિ. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/03/whatsapp-image-2026-09-03-at-64947-pm_1788442190.jpeg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 00:17:03 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>સત્ત્વવિકાસ, સ્કૂલની, 24મી, વાર્ષિક, જન્માષ્ટમીની, ઉજવણી:‘યુગે, યુગે, કૃષ્ણ, યમુનાથી, હોર્મુઝ, સુધી’, થીમ, સાથે, પુરાણ, અને, વર્તમાન, વચ્ચે, અનોખો, સેતુ, રચાયો</media:keywords>
</item>

<item>
<title>દ્વારકામાં સચવાઈ રહી છે શ્રીકૃષ્ણના વંશની અનોખી વિરાસત:શ્રીકૃષ્ણ પર પીએચ.ડી. સંશોધન કરી પૂજારી ડૉ. નિર્ભયરામજીએ તૈયાર કર્યું ‘હરિવંશ વૃક્ષ’</title>
<link>https://www.narsim7news.com/p/2</link>
<guid>https://www.narsim7news.com/p/2</guid>
<description><![CDATA[ જન્માષ્ટમી પર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનો 5253મો જન્મદિવસ ઉજવાશે,ત્યારે શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી એક અનોખી સંશોધન વિરાસત સામે આવી છે. પૂજારી ડૉ. નિર્ભયરામજીએ ભગવાન શ્રીકૃષ્ણ વિષય પર પીએચ.ડી. કરી હતી. આ સંશોધન દરમિયાન તેમણે શ્રીકૃષ્ણના વંશ અને પરિવારની વિસ્તૃત માહિતી રજૂ કરતું વિશાળ ‘હરિવંશ વૃક્ષ’ તૈયાર કર્યું હતું. ‘આંબો’ નામથી ઓળખાય છે હરિવંશ વૃક્ષ
શ્રીકૃષ્ણના વંશ અને પરિવારની કડી દર્શાવતી આ રચનાને દ્વારકા પંથકમાં લોકો પ્રેમથી ‘આંબો’ કહીને ઓળખે છે. નામ ભલે વૃક્ષ સાથે જોડાયેલું હોય, પરંતુ તેની અંદર ભગવાન શ્રીકૃષ્ણના પરિવાર, વંશ અને સંબંધોની મહત્વપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી છે.
 નેતાજી પૂજારી પાસે સચવાઈ રહી છે અનોખી કૃતિ
ડૉ. નિર્ભયરામજીએ સંશોધનના ભાગરૂપે તૈયાર કરેલી આ ઐતિહાસિક અને સંશોધનાત્મક કૃતિ આજે પૂજારી શ્રી નેતાજી પૂજારી પાસે સચવાયેલી છે. વર્ષો બાદ પણ આ રચના શ્રીકૃષ્ણના વંશ અંગેના સંશોધનનો મહત્વપૂર્ણ દસ્તાવેજ બની રહી છે.
 દ્વારકાની ધાર્મિક વિરાસતમાં સંશોધનનું આગવું સ્થાન
ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં તેમના વંશ અને પરિવાર અંગે કરવામાં આવેલું આ સંશોધન પંથક માટે અનોખી વિરાસત સમાન છે. ધાર્મિક આસ્થા સાથે સંશોધનને જોડતી આ રચના દ્વારકાના ઇતિહાસ અને શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલી પરંપરાઓને સમજવા માટે વિશિષ્ટ મહત્વ ધરાવે છે. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/03/dbgifmagic-9_1788442242.gif" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 00:17:03 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>દ્વારકામાં, સચવાઈ, રહી, છે, શ્રીકૃષ્ણના, વંશની, અનોખી, વિરાસત:શ્રીકૃષ્ણ, પર, પીએચ.ડી., સંશોધન, કરી, પૂજારી, ડૉ., નિર્ભયરામજીએ, તૈયાર, કર્યું, ‘હરિવંશ, વૃક્ષ’</media:keywords>
</item>

<item>
<title>સુરેન્દ્રનગરના પાટડીમાંથી અપહૃત 4 વર્ષનો બાળક અમદાવાદથી હેમખેમ મળ્યો:ભીખ મંગાવવાના ઇરાદે મહિલાએ બાળકનું અપહરણ કર્યું, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને દબોચ્યો</title>
<link>https://www.narsim7news.com/p/5</link>
<guid>https://www.narsim7news.com/p/5</guid>
<description><![CDATA[ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી બસ સ્ટેશન વિસ્તારમાંથી ગત બુધવારે સવારે 4 વર્ષના માસૂમ બાળકનું અપહરણ થવાની ચકચારી ઘટનામાં અમદાવાદની સોલા હાઈકોર્ટ પોલીસે ગણતરીના કલાકોમાં સફળતા મેળવી છે. પાટડીમાંથી બાળકને ઉઠાવીને અમદાવાદ લાવવામાં આવ્યું હોવાની બાતમી અને સીસીટીવી ફૂટેજના આધારે સોલા પોલીસે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને અપહૃત બાળકને હેમખેમ મુક્ત કરાવ્યો છે.  આ સાથે જ બાળકનું અપહરણ કરનાર ચાલીસ વર્ષીય મહિલાને રંગેહાથ ઝડપી પાડવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલી મહિલાએ ભીખ મંગાવવાના આશયથી માસૂમ બાળકનું અપહરણ કર્યું હોવાની ચોંકાવનારી કબૂલાત કરતાં પોલીસે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પાટડી બસ સ્ટેશન પાસેથી બાળકની ચોરી અને પોલીસ એલર્ટ
ઘટનાની વિગતો અનુસાર, પાટડી બસ સ્ટેશન સામે ફૂટપાથ પર પરિવાર સાથે રહેતા શ્રમજીવી પિતાનો ચાર વર્ષનો પુત્ર બુધવારે સવારે આશરે સાડા 10 વાગ્યાના અરસામાં અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવારજનોની શોધખોળ બાદ પણ બાળક ન મળતાં આ મામલે પાટડી પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન આસપાસના સીસીટીવી કેમેરામાં એક શંકાસ્પદ મહિલા આ બાળકને હાથ પકડીને લઈ જતી કેદ થઈ ગઈ હતી. જેના પગલે પાટડી પોલીસે તાત્કાલિક બાળકના વર્ણન અને સીસીટીવી ફૂટેજ સાથેનો ઇમરજન્સી બ્રોડકાસ્ટ મેસેજ અમદાવાદ શહેર કંટ્રોલ રૂમ સહિત તમામ પોલીસ મથકોને રવાના કર્યો હતો. સોલા હાઈકોર્ટ પોલીસની સતર્કતા અને સર્ચ ઓપરેશન
મેસેજ મળતાં જ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે. દેસાઈ, એન.એસ. સિંઘ તથા સર્વેલન્સ સ્ટાફની ટીમો બનાવી વિસ્તારમાં નાકાબંધી અને સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ જવાનોએ શંકાસ્પદ વિસ્તારો અને ભીડભાડવાળી જગ્યાઓ ખૂંદી વળતાં ભાગવત કોમ્પ્લેક્સ ચાર રસ્તાથી પ્રસંગ પાર્ટી પ્લોટ ચાર રસ્તા તરફ જતા રોડ પર એક મહિલા સાથે સીસીટીવીમાં દેખાયેલા વર્ણનવાળા બાળકને જોઈ લીધો હતો. પોલીસે ઘેરાબંધી કરીને મહિલાને તાત્કાલિક અટકાયતમાં લઈ લીધી હતી અને બાળકની સુરક્ષિત રીતે અટક કરી હતી. ભીખ મંગાવવા અને કચરો વીણવા માટે બાળક ઉઠાવ્યું હતું
પોલીસ કસ્ટડીમાં લેવાયેલી મહિલાની ઓળખ મીનાબેન ઉર્ફે રમીલા, ઉર્ફે રીની, જગદીશ ઉર્ફે જીગો દેવાભાઈ નાથબાવા (ઉંમર 40 વર્ષ) તરીકે થઈ છે. તે મૂળ અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના રીન્દ્રોડા ગામની વતની છે અને હાલ સોલા સિવિલ હોસ્પિટલ સામે ફ્લાયઓવર બ્રિજ નીચે ફૂટપાથ પર પોતાના પતિ સાથે રહે છે. તે જાહેરમાં ભીખ માંગીને તેમજ પ્લાસ્ટિક-કચરો વીણીને ગુજરાન ચલાવતી હતી. કડક પૂછપરછમાં મહિલાએ કબૂલાત કરી હતી કે રસ્તાઓ અને ટ્રાફિક સિગ્નલ પર લોકો પાસેથી સહાનુભૂતિ મેળવી વધુ ભીખ મંગાવવાના ઇરાદાથી તેણે પાટડીથી એકલા રમી રહેલા માસૂમ બાળકનું અપહરણ કર્યું હતું. બાળકને હેમખેમ પિતાને સોંપવા તજવીજ હાથ ધરાઈ
સોલા પોલીસે સમયસૂચકતા અને ઝડપી ટેકનિકલ નેટવર્કના આધારે ગણતરીના કલાકોમાં જ અપહરણનો ભેદ ઉકેલી બાળકનો જીવ જોખમમાં મુકાતાં બચાવી લીધો છે. પોલીસે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તેમજ બાળકના વાલીવારસોને આ સફળતા અંગે જાણ કરી છે. બાળક સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે અને કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કરી તેને તેના પિતાના હવાલે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જ્યારે આરોપી મહિલાને આગળની તપાસ માટે પાટડી પોલીસને સોંપવામાં આવશે. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/03/dbgifmagic-12_1788442119.gif" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 00:17:03 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>સુરેન્દ્રનગરના, પાટડીમાંથી, અપહૃત, વર્ષનો, બાળક, અમદાવાદથી, હેમખેમ, મળ્યો:ભીખ, મંગાવવાના, ઇરાદે, મહિલાએ, બાળકનું, અપહરણ, કર્યું, પોલીસે, ગણતરીના, કલાકોમાં, ભેદ, ઉકેલી, આરોપીને, દબોચ્યો</media:keywords>
</item>

<item>
<title>મોદી ઇરાનના રાષ્ટ્રપતિને મળતાં ટ્રમ્પને મરચાં લાગ્યાં!:ચૂંટણી પહેલા અમેરિકા બન્યું &amp;apos;ફોઈબા&amp;apos;, માર્કો રૂબિયોની ભારતને ધમકી; BRICS પહેલા મોટી બબાલ</title>
<link>https://www.narsim7news.com/p/7</link>
<guid>https://www.narsim7news.com/p/7</guid>
<description><![CDATA[ પ્રધાનમંત્રી મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝેશ્કિયાન સાથે હાથ શું મિલાવ્યો અમેરિકાએ તો ભારતને બરબાદ કરી દેવાની ધમકી આપી દીધી. શું ભારતે અમેરિકા સામે બગાવત કરી છે? જો અમેરિકા ફરી પ્રતિબંધો લગાવે તો ભારતની કઈ વસ્તુઓ મોંઘી થઈ શકે? અને ટ્રમ્પને ભાજપની જેમ નામકરણ કરીને ફઈબા બનાવાનો ચસકો કેમ લાગ્યો? ચાલો તેના વિશે વિગતે વાત કરીએ... નમસ્કાર... આપણે બધા જ જાણીએ છીએ કે 31 ઓગસ્ટે કિર્ગિસ્તાનની રાજધાની બિસ્કેકમાં SCO મીટિંગ મળી હતી. પશ્ચિમી દેશોનું નાટો કે જી સેવન ગ્રુપ છે એવું જ આ ગેર-પશ્ચિમી દેશોનું એક મોટું સંગઠન છે. ને આ જ સમિટમાં એક મોટો બોમ્બ ફૂટ્યો. વાત કંઈક એવી છે કે પ્રધાનમંત્રી મોદી ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પઝેશ્કિયાનને મળ્યા. બસ, આ એક મુલાકાતના ફોટોએ અમેરિકાના પેટમાં એવું તેલ રેડ્યું કે વોશિંગ્ટનમાં બેઠેલા નેતાઓ ધૂઆંપૂઆં થઈ ગયા. હવે વાત કરીએ એવું તો શું બની ગયું છે તેની. ધ બ્રાઈન કલમેટ શોમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોને પૂછવામાં આવ્યું કે, મોદી અને પઝેશ્કિયાન મળ્યા છે તો બંને દેશો કોઈ ડિલ કરવાના છે? તમારું શું કહેવું છે? ત્યારે રૂબિયોએ કહ્યું... “મને નથી લાગતું કે ભારત અને ઈરાન વચ્ચે કોઈ વેપાર ડીલ થઈ રહી છે. દરેક દેશને પોતાની વિદેશ નીતિ નક્કી કરવાનો અધિકાર છે. દુનિયાના ઘણા દેશો ઈરાનની સરકાર સાથે વાત કરે છે. અમેરિકાએ પણ અનેક ઈરાની અધિકારીઓ સાથે કેટલાક મુદ્દાઓ પર વાત કરી છે. પરંતુ રાષ્ટ્રપતિનું કહેવું છે કે કોઈ પણ દેશે ઈરાનને અમેરિકાના પ્રતિબંધોથી બચવામાં મદદ ન કરવી જોઈએ. ઈરાનને પૈસા કમાવવાના એવા કોઈ રસ્તા ન બતાવવા જોઈએ, જેનાથી તે આતંકવાદને પ્રોત્સાહન આપી શકે અથવા પરમાણુ હથિયારો બનાવી શકે. જો કોઈ દેશ આવું કરશે, તો અમેરિકાને તે દેશ પર પ્રતિબંધો લગાવવા પડશે.” રૂબિયોએ ટ્રમ્પના ખભે ફોડી બંદૂક
મતલબ કે, અમેરિકા સીધું કહી રહ્યું છે કે, અમારી લાઈનમાં ચાલો, નહીંતર તમને પણ બરબાદ કરી દઈશું. અને બીજી એક ખાસ વાત. ઉપર તમે વાંચ્યું એમાં ભારતની જે જે સારી વાતો હતી તે રૂબિયોએ પોતાની તરફથી કરી અને સેક્શન્સ નાખવાની વાત આવી તો વાત સીધી ટ્રમ્પ પર ઢોળી દીધી. પણ એક સવાલ થાય કે પાકિસ્તાને પણ તો બે અઠવાડિયા પહેલા જ ઈરાન સાથે મીટિંગ કરી હતી, ત્યારે અમેરિકાના મોઢામાં કેમ મગ ભરાઈ ગયા હતા? અને વાત ભારતની આવી તો તેમને કેમ આટલા મરચાં લાગે છે? ઈરાનને કંગાળ કરી દેવાનો અમેરિકન પ્લાન તો જવાબ છે અમેરિકાની એક પોલિસી જેનું નામ છે ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ. અમેરિકાએ ઈરાનનું આર્થિક ગળું દવાબી દેવા માચે 24 ઓગસ્ટે આ મિશન માથે લીધું છે. જેનો સીધો મતલબ છે કે ઈરાનને દુનિયામાં આર્થિક રીતે સાવ અછૂત કરી દેવું. અમેરિકાના ટ્રેજરી સચિવ સ્કોટ બેસેન્ટે આ કેમ્પેઈન લોન્ચ કર્યું છે. જેમાં કહેવાયું છે કે જો ઈરાન સાથેના સંબંધો નહીં કાપો તો અમેરિકા તમારી સામે નાણાકીય હિંસા કરશે. ઈરાન સાથનો વેવાર કોને પડ્યો ભારે? અને આ કોઈ હવામાં ઉભું કરેલું કેમ્પેન કે ધમકી નથી. આ ઓપરેશનની અસર ભારત પર થોડા સમય પહેલા જ પડી ગઈ છે. અમેરિકાએ ઈરાન સાથે 119 મિલિયન ડોલરનો પેટ્રોલિયમ વેપાર કરનાર સદાશિવા ઓવરસીઝ સહિત બીજી પણ ચારેક ભારતીય કંપનીઓ અને ત્રણ ભારતીય નાગરિકો પર બેન લગાવી દીધો છે. ટૂંકમાં અમેરિકા ખાલી ઈરાની ઓઈલ ખરીદનારા જ નહીં, પણ કસ્ટમ્સ બ્રોકર અને નાણાકીય લેવડદેવડ કરનારાઓને પણ ટાર્ગેટ કરી રહ્યું છે. અમે ભારત અને રશિયાને ગુમાવી દીધા: ટ્રમ્પ આ જોઈ કે સાંભલીને કોઈને પણ એવું લાગે કે ભારત હવે બીય જશે અને ઈરાનથી છેટું રહેશે. ટ્રમ્પે ગયા વર્ષે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એવું શુધ્ધા લખી નાખ્યું હતું કે, &quot;અમે ભારત અને રશિયાને ગુમાવી દીધા છે, તેઓ ચીનના ખેમામાં જતા રહ્યા છે. તેમને શુભેચ્છાઓ&quot; તો શું ખરેખર આવું જ છે જેવું અમેરિકા વિચારે છે અને ભારત પોતાની વિદેશ નીતિ બદલી નાખશે? જવાબ છે ના ભાઈ ના... ને આવું એટલા માટે કારણ કે હમણાં થોડા સમય પહેલા જ બિશ્કેકમાં મોદીએ ભારતની વિદેશ નીતિ સમજવા માટેની એક વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, &quot;ભારત ગાંધી અને બુદ્ધની ધરતીનો દેશ છે. અમે હંમેશા શાંતિના પક્ષમાં અને બધા સાથે સારા સંબંધો રાખીને હળી-મળીને રહેવામાં માનીએ છીએ.&quot; ભારત-ઈરાન બેઠકનો શું હતો એજન્ડા? મોદી અને પઝેશ્કિયાન સાથે મીટિંગ થઈ ત્યાર બાદ ભારતીય વિદેશ મંત્રાલયનું ઓફિશિયલ પ્રેસ રિપોર્ટ આવ્યો એમાં લખાયું છે તેનાથી સમજી શકાય છે કે ભારતે ઈરાન સાથે ભારતીય જહાજો અને નાવિકોની સુરક્ષા વિશે જ વાત કરી છે. ભારતે ઈરાન સાથે પશ્ચિમ એશિયાની શાંતિ વિશે વાત કરી છે. ભારતે કોઈ નવી ટ્રેડ ડિલ નથી કરી. અને ભારત અમેરિકા કે બીજા કોઈ દેશના કહેવાથી પોતાના સંબંધો કોઈ પણ દેશ સાથે નહીં બગાડે. યુદ્ધ પછી ઈરાન સાથે કેટલો વેપાર? ભારતની આ વાતને આપણે ઓફિશિયલ ડેટાથી સમજીએ. એક સમયે એટલે કે 2018-2019માં ભારત અને ઈરાન વચ્ચે 17 અબજ ડોલરનો વેપાર થતો હતો. પણ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે એટલે કે 2025-2026માં આ વેપાર ઘટીને 1.63 અબજ ડોલર જ રહ્યો છે. લગભગ 90 ટકા જેટલો ઘટાડો ભારત અને ઈરાન વચ્ચેના વેપારમાં જોવા મળ્યો છે. સરકારથી સરકારનો વેપાર પણ લગભગ બંધ પડેલો છે. જે વેપાર થઈ રહ્યો છે તે ખાનગી કંપનીઓ કરી રહી છે. જો કે તેની આડી અસર દેશના વેપારીઓ પર પણ પડી. અત્યાર સુધીમાં આપણા વેપારીઓ વાયા દુબઈ થઈને ઈરાન સાથે ડિલ કરતા હતા પણ હવે યુએઈની બેંકોએ ઈરાન સાથે વેપાર અટકાવી દીધો છે. આ દુબઈ રૂટ બંધ થવાથી ભારતના 383 મિલિયન ડોલરના બાસમતી ચોખા અને 14.4 મિલિયન ડોલરની ચાની નિકાસ પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. 10 દિવસ પછી ભારતમાં ઈન્ટરનેશનલ બેઠક જો કે જ્યારે આ બધું થઈ રહ્યું છે ત્યારે ઠીક 10 દિવસ પછી એક મોટી ઈવેન્ટ ભારત માથે આવીને ઉભી રહી ગઈ છે. આજથી બરાબર 10 દિવસ પછી આપણે બ્રિક્સ દેશોની મીટિંગની લીડરશીપ કરવાના છીએ. આ એવું ઓર્ગેનાઈઝેશન છે જ્યાં ભારત, રશિયા અને ચીનનો દબદબો છે. આ સિવાય બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ પાર્ટનર છે. માટે ભારતને પોતાના બધા જ ડગલા ધ્યાન રાખીને ભરવા રહ્યા. SCO સમિટમાં પણ ભારતનો આ જ એટિટ્યૂડ રહ્યો. બધા સાથા સારા-સારી. જો ભારત આવું ન કરે તો વિદેશ નીતિમાં તેનું કદ ઘટે. એટલે જ ભારતને અત્યારે ફૂંકી ફૂંકીને છાસ પીવી પડી રહી છે. કેવી માનસિકતા સાથે અમેરિકા કરે છે કામ? અને હવે એક અલગ જ મુદ્દાની વાત કરી લઈએ. કારણ કે આપણે અમેરિકાની માનસિકતા પણ સમજવી પડશે. અને ઉપરથી આ વાતો તો તમને બીજે ક્યાંય સાંભળવા પણ નહીં મળે. વાત ભારતના પ્લાન બીની કરવી છે પણ એના પહેલા અમેરિકા અત્યારે કેવા નિર્ણયો અને કેવી માનસિકતા સાથે કામ કરે છે તે જાણી લઈએ. અત્યારે ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટ ઓછી અને ટ્રમ્પ ફર્સ્ટની પોલિસી પર ચાલી રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે અમેરિકામાં નવેમ્બરમાં મીડ ટર્મ ઇલેક્શન છે, ટ્રમ્પને ઈતિહાસમાં અમર થવું છે અને ચૂંટણી પણ જીતવી છે. એટલા માટે તેઓ ધમપછાડા કરી રહ્યા છે. ટ્રમ્પના મગજમાં હોડ લાગી છે જનતાના કામ કરવાને બદલે બ્રિજ, સ્ટેડિયમ કે રસ્તાઓના નામ બદલવાની. ટ્રમ્પ બન્યા &#039;ફઈબા&#039; ટ્રમ્પે હમણા જ એક ઓર્ડર કાઢીને કેનેડા બોર્ડર પર આવેલ 400 વર્ષ જૂના લેક ઓન્ટારિયોનું રાતોરાત નામ બદલીને લેક અમેરિકા કરી નાખ્યું છે. આ એ જ આદિવાસી નામ છે જે અમેરિકાની આઝાદી પહેલાથી અસ્તિત્વમાં છે. અને વાત ખાલી એક તળાવ પૂરતી જ નથી. ગલ્ફ ઓફ મેક્સિકોને ગલ્ફ ઓફ અમેરિકા, સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ટ્રમ્પ સ્ટ્રેટ, માઉન્ટ ડેનાલીને બદલે માઉન્ટ મેકકિન્લી, US-ઇન્ડો પેસિફિક કમાન્ડનું US પેસિફિક કમાન્ડ નામ બદલવાની વાતો કે બાલિશ નિર્ણયો પણ ટ્રમ્પ લઈ ચૂક્યા છે. અફવાઓ છે કે ટ્રમ્પને તો એટલાન્ટિંક અને પેસેફિક મહાસાગરના નામ પણ બદલાનો શૂરો છે. મોદીની 15 દેશોમાં ધડાધડ યાત્રા એટલા માટે જ મોદીએ છેલ્લા એક વર્ષમાં અચાનક ફરી પોતાની વિદેશ યાત્રાઓ વધારી દીધી છે. વર્ષ 2026માં પ્રધાનમંત્રીએ 15 જેટલા મોટા દેશોની મુલાકાત કરી છે જેમાંથી સાત મોટા દેશોની વાત કરીએ જે અમેરિકન ટેરિફથી બચાવી શકે તેવા છે... ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, UAE, નેધરલેન્ડ્સ, ઈટાલી, ઈઝરાયલ અને મલેશિયા. કારણ કે ભારત ટ્રમ્પના કોઈ તરંગી નિર્ણયોના ભરોસે બેસી રહેવા નથી માગતું, ભારત એ સાર્વભૌમિક દેશ છે. પોતાના નિર્ણયો જાતે લે છે. દિલ્લીથી ચાલશે ભારત, નહીં કે વોશિંગ્ટન તો વાર્તા સાવ ક્લિયર છે. ટ્રમ્પને ભલે કોઈ દેશ પર મનપડે એવા ઓપરેશન ચલાવવા હોય કે ડોલરની દાદાગીરી દેખાડવી હોય પણ ભારતની વિદેશ નીતિ તો દિલ્લીથી જ ચાલશે નહીં કે વોશિંગ્ટનના રિમોટ કન્ટ્રોલથી. અને છેલ્લે... ઈન્ટરનેશનલ જગતમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભારત અને ચીનના સંબંધો સુધારવા માટે તૈયારીઓ થઈ રહી છે. શરૂઆત નાના અને ઓછા વિવાદિત મામલાથી થશે પણ તેમાં કોણ કેટલું નમતું જોખશે એ જોવાનું રહેશે. સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ: સમીર પરમાર | Samir Parmar) ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/03/editor-view-thumb-2_1788437870.gif" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 00:17:03 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>મોદી, ઇરાનના, રાષ્ટ્રપતિને, મળતાં, ટ્રમ્પને, મરચાં, લાગ્યાં:ચૂંટણી, પહેલા, અમેરિકા, બન્યું, ફોઈબા, માર્કો, રૂબિયોની, ભારતને, ધમકી, BRICS, પહેલા, મોટી, બબાલ</media:keywords>
</item>

<item>
<title>સાવકા બાપે સગીર પુત્રી પર 2 મહિના સુધી દુષ્કર્મ આચર્યું:શિક્ષિકા પત્નીએ રૂમમાં મોબાઈલ કેમેરો ગોઠવી પતિની કરતૂત કેદ કરી, અમદાવાદ પોલીસને પુરાવો આપી ફરિયાદ નોંધાવી</title>
<link>https://www.narsim7news.com/p/9</link>
<guid>https://www.narsim7news.com/p/9</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં પવિત્ર સંબંધોને કલંકિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સાવકા પિતાએ પોતાની જ 17 વર્ષીય સગીર દીકરી સાથે છેલ્લા બે મહિનાથી સતત દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત સામે આવી છે. સગીરાની માતા વ્યવસાયે શિક્ષિકા હોવાથી સવારે નોકરી પર જતી રહેતી હતી, જેનો ગેરલાભ ઉઠાવીને ઘરમાં એકલતાનો લાભ લઈ અંજામ આપતો હતો. આ મામલાની ખબર પડતા શિક્ષિકા માતાએ ઘરમાં છૂપી રીતે મોબાઈલ વીડિયો રેકોર્ડિંગ ચાલુ રાખીને પુરાવા ઝડપી લીધા હતા. આ પુરાવા સાથે માતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પોક્સો તેમજ દુષ્કર્મની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. માતાની ગેરહાજરીમાં સાવકા પિતાની વિકૃત હરકતો
ચાંદખેડા વિસ્તારમાં રહેતી આ સગીરાની માતાના લગ્ન વર્ષ 2017માં આરોપી સાથે થયા હતા, જે એક કપડાંની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી આરોપીની દાનત બગડી હતી અને તે ઘરમાં સગીરા સાથે અયોગ્ય શારીરિક અડપલાં કરતો હતો. સગીરાની માતા સવારે નિયમિત શાળાએ જતી હોવાથી આરોપી ઘરમાં એકલી રહેલી નિર્દોષ દીકરીની લાચારીનો ગેરલાભ ઉઠાવીને છેલ્લા બે મહિનાથી તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતો હતો. સગીરાએ માસી સમક્ષ હિંમતપૂર્વક આપવીતી વર્ણવી
ચાંદખેડા પોલીસ ઇન્સ્પેક્ટર જયેશ મકવાણાના જણાવ્યા અનુસાર સાવકા પિતાના ડર અને પારિવારિક સંકોચના કારણે સગીરા શરૂઆતમાં કોઈને કંઈ કહી શકી નહોતી. જોકે, આરોપીનો ત્રાસ અને અત્યાચાર દિવસેને દિવસે અસહ્ય બનતાં આખરે સગીરાએ હિંમત ભેગી કરીને સમગ્ર કાળી કરતૂતોની જાણ પોતાની માસીને કરી હતી. માસી દ્વારા પરિવારને જાણ કરવામાં આવતાં ઘરમાં ભારે આઘાતનું મોજું ફરી વળ્યું હતું અને પરિવારે પોતાની વહાલસોયી દીકરીને ન્યાય અપાવવાનો દ્રઢ નિર્ણય લીધો હતો. માતાએ છૂપો કેમેરો ગોઠવી નરાધમની કરતૂતો રેકોર્ડ કરી
પોલીસ ફરિયાદ કરતાં પહેલાં મજબૂત પુરાવા મેળવવા માટે શિક્ષિકા માતાએ અનોખી યુક્તિ અજમાવી હતી. માતાએ સવારે ઘરેથી નીકળતાં પહેલાં રૂમમાં મોબાઈલ ફોનનું વીડિયો રેકોર્ડિંગ ઓન કરીને છૂપી જગ્યાએ ગોઠવી દીધું હતું. માતા સ્કૂલે ગયા બાદ આરોપીએ સગીરા સાથે કરેલી હરકતો કેમેરામાં કેદ થઈ ગઈ હતી. માતાએ આ ડિજિટલ પુરાવા હાથમાં આવતાં જ સીધો ચાંદખેડા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરાઈ
માતા દ્વારા રજૂ કરાયેલા અકાટ્ય પુરાવા અને લેખિત ફરિયાદના આધારે ચાંદખેડા પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને આરોપી સાવકા પિતાની અટકાયત કરી લીધી હતી. હાલમાં પોલીસે પીડિત સગીરાનું મેડિકલ પરીક્ષણ અને મજિસ્ટ્રેટ સમક્ષ કલમ મુજબ નિવેદન નોંધવાની કાનૂની તજવીજ હાથ ધરી છે. આરોપીએ અગાઉ કેટલી વાર આ પ્રકારનું કુકર્મ આચર્યું છે અને માનસિક ત્રાસ આપ્યો છે તે તમામ મુદ્દાઓને સાંકળીને પોલીસ દ્વારા કડક ચાર્જશીટ રજૂ કરવા તપાસ તેજ કરવામાં આવી છે. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/03/1_1788440294.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 00:17:03 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>સાવકા, બાપે, સગીર, પુત્રી, પર, મહિના, સુધી, દુષ્કર્મ, આચર્યું:શિક્ષિકા, પત્નીએ, રૂમમાં, મોબાઈલ, કેમેરો, ગોઠવી, પતિની, કરતૂત, કેદ, કરી, અમદાવાદ, પોલીસને, પુરાવો, આપી, ફરિયાદ, નોંધાવી</media:keywords>
</item>

<item>
<title>શામળાજીમાં જન્માષ્ટમીની ઉજવણી માટે તૈયારીઓ પૂર્ણ:મંદિર પરિસરમાં આસોપાલવના તોરણ, નગરમાં શોભાયાત્રા દરમિયાન 100 મટકીફોડનો કાર્યક્રમ</title>
<link>https://www.narsim7news.com/p/4</link>
<guid>https://www.narsim7news.com/p/4</guid>
<description><![CDATA[ આવતીકાલે સમગ્ર રાજ્યના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવાશે. યાત્રાધામ શામળાજીમાં પણ આ ઉત્સવ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવા માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરને આસોપાલવ, કેળ, વાંસ અને આંબાના પાનના તોરણોથી શણગારવામાં આવ્યું છે. સાથે જ, મંદિરને રોશનીથી પણ સજાવાયું છે. જન્માષ્ટમીના શુભ અવસરે ભગવાનના નિજ મંદિરને અમદાવાદના રામી કલાકરો દ્વારા ફૂલોથી શણગારવામાં આવશે. આ માટે 100 કિલોથી વધુ ફૂલોનો ઉપયોગ કરાશે. ભગવાન શામળિયા માટે ખાસ વાઘા પણ તૈયાર કરવામાં આવ્યા છે, જે તેમને પહેરાવીને શણગાર કરાશે. શામળાજીમાં ગામના યુવાનો દ્વારા પણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાશે. આ માટે ગામ અને બજારને આસોપાલવ અને 100થી વધુ મટકીઓથી શણગારવામાં આવશે. સવારે 10 વાગ્યા પછી શ્રી કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં 200 કિલો અબીલ ગુલાલ ઉડાડવામાં આવશે. બેન્ડની સુરાવલી વચ્ચે નીકળનારી આ યાત્રામાં હજારો ભક્તો જોડાશે. આ સમયે &quot;હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકી&quot;ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠશે. યુવાનો આ માટે પણ તૈયારીઓમાં લાગી ગયા છે. દિવસ દરમિયાનની ઉજવણી પછી સાંજે ભગવાનના જન્મોત્સવ નિમિત્તે મંદિર પરિસરમાં ભજન સંધ્યાનું આયોજન કરાયું છે. સાંજથી રાત સુધી ચાલનારી આ ભજન સંધ્યામાં અમદાવાદના ભજનિક કલાકરો કૃષ્ણભક્તિના ભજનો રજૂ કરશે. જન્માષ્ટમીના દિવસે મંદિરના કાર્યક્રમો અને સમયપત્રક આ મુજબ રહેશે: મંદિર સવારે 6 કલાકે ખુલશે. મંગળા આરતી સવારે 6-45 કલાકે થશે. શણગાર આરતી સવારે 8-30 કલાકે થશે. રાજભોગ ધરાવવાનો સમય સવારે છે, તે દરમિયાન મંદિર બંધ રહેશે. મંદિર સવારે 11-30 કલાકે ફરી ખુલશે. રાજભોગ આરતી બપોરે 12-15 કલાકે થશે. મંદિર બપોરે12-30 કલાકે બંધ થશે. ઉત્થાપન માટે મંદિર બપોરે 2-15 કલાકે ખુલશે. સંધ્યા આરતી સાંજે 7-15 કલાકે થશે. શ્રીકૃષ્ણ જન્મોત્સવ રાત્રે 12 કલાકે ઉજવાશે. જન્મોત્સવ મહા આરતી રાત્રે 12-30કલાકે થશે. મહામહાભોગ રાત્રે 12-45 કલાકે ધરાવાશે. શયન આરતી રાત્રે 1 કલાકે થશે. મંદિર મંગલ રાત્રે 1-15 કલાકે થશે. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/03/4e365a20-e0e1-46f1-a950-050873b90560_1788438373697.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 00:17:03 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>શામળાજીમાં, જન્માષ્ટમીની, ઉજવણી, માટે, તૈયારીઓ, પૂર્ણ:મંદિર, પરિસરમાં, આસોપાલવના, તોરણ, નગરમાં, શોભાયાત્રા, દરમિયાન, 100, મટકીફોડનો, કાર્યક્રમ</media:keywords>
</item>

<item>
<title>હિંમતનગરમાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં 70મા વન મહોત્સવની ઉજવણી:&amp;apos;એક પેડ માં કે નામ&amp;apos; અભિયાન હેઠળ વૃક્ષારોપણ, વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધનનો સંકલ્પ</title>
<link>https://www.narsim7news.com/p/6</link>
<guid>https://www.narsim7news.com/p/6</guid>
<description><![CDATA[ સાબરકાંઠા જિલ્લામાં 70મા વન મહોત્સવ-2026ની ઉજવણી કરાઈ. આ અંતર્ગત હિંમતનગરના હડિયોલ વિસ્તરણ રેન્જમાં આવેલા અર્બન વનકવચમાં &#039;એક પેડ માં કે નામ&#039; અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વી.ડી. ઝાલા હાજર રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી. ઝાલાએ વૃક્ષારોપણ કર્યું અને પર્યાવરણ સંરક્ષણ તેમજ હરિયાળા ગુજરાત બનાવવાનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે વૃક્ષોનું જતન અને સંવર્ધન એ આપણી સૌની જવાબદારી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, જો વધુ વૃક્ષો વાવીને તેમનું યોગ્ય જતન કરવામાં આવે તો આવનારી પેઢી માટે સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું પર્યાવરણ બનાવી શકાય. આ માટે સૌએ વૃક્ષારોપણ સાથે વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધનનો સંકલ્પ લેવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ નરેશભાઈ પરમાર, સહાયક વન સંરક્ષક બી.સી. ડાભી, વનક્ષેત્રપાલ દશરથભાઈ મકવાણા સહિત વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, ડિફેન્સ એકેડમીના સંચાલક અને વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/03/f19d1592-709f-45ad-b390-10bf085510c5_1788434535698.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 00:17:03 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>હિંમતનગરમાં, ધારાસભ્યની, ઉપસ્થિતિમાં, 70મા, વન, મહોત્સવની, ઉજવણી:એક, પેડ, માં, કે, નામ, અભિયાન, હેઠળ, વૃક્ષારોપણ, વૃક્ષોના, સંરક્ષણ, અને, સંવર્ધનનો, સંકલ્પ</media:keywords>
</item>

<item>
<title>નર્મદા જિલ્લાના 70 શ્રેષ્ઠીનું ‘નર્મદા રત્ન એવોર્ડ’થી સન્માન:સામાજિક સેવા, શિક્ષણ, આરોગ્ય, કાયદો&#45;વ્યવસ્થા સહિત વિવિધ ક્ષેત્રમાં યોગદાન બદલ</title>
<link>https://www.narsim7news.com/p/8</link>
<guid>https://www.narsim7news.com/p/8</guid>
<description><![CDATA[ નર્મદા જિલ્લામાં સામાજિક સેવા, શિક્ષણ, આરોગ્ય, કાયદો અને વ્યવસ્થા જેવા ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી કરનાર લગભગ 70 શ્રેષ્ઠીઓનું ‘નર્મદા રત્ન એવોર્ડ’થી સન્માન કરાયું હતું. રાજપીપળા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રતિભાઓને તેમની આગવી કામગીરી બદલ મોમેન્ટો, શાલ અને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ સમારોહનો મુખ્ય હેતુ જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં નિષ્ઠાપૂર્વક કામ કરનાર વ્યક્તિઓનું મનોબળ વધારવાનો હતો. નર્મદા રત્ન એવોર્ડ-2026 કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવા, પૂર્વ ધારાસભ્ય પી.ડી. વસાવા, ડીવાયએસપી પ્રેમલ પટેલ, રાજપીપળા નગરપાલિકા પ્રમુખ શિવાનીબેન મહેતા, ચીફ ઓફિસર વૈશાલીબેન વરિયા, કિરણભાઈ વસાવા અને મનોજભાઈ લાલકિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન નર્મદા પોલીસ, સુરક્ષા સેતુ સોસાયટી, લક્ષ્યમ હોન્ડા રાજપીપળા અને NMD ન્યૂઝ નેટવર્ક, નર્મદાના સહયોગથી કરવામાં આવ્યું હતું. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/03/2df6ef95-176b-4ed3-b906-b74f0b340ccc_1788438245910.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 00:17:03 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>નર્મદા, જિલ્લાના, શ્રેષ્ઠીનું, ‘નર્મદા, રત્ન, એવોર્ડ’થી, સન્માન:સામાજિક, સેવા, શિક્ષણ, આરોગ્ય, કાયદો-વ્યવસ્થા, સહિત, વિવિધ, ક્ષેત્રમાં, યોગદાન, બદલ</media:keywords>
</item>

<item>
<title>ભુજ કોર્ટમાં ગંભીર ઘટના પછી પ્રિન્સિપાલ જજે બેઠક યોજી:સુરક્ષા વધારવા અને એક સપ્તાહમાં તપાસ પૂરી કરી ચાર્જશીટ રજૂ કરવા આદેશ</title>
<link>https://www.narsim7news.com/p/10</link>
<guid>https://www.narsim7news.com/p/10</guid>
<description><![CDATA[ ભુજ સેશન્સ કોર્ટમાં ગઈકાલે બનેલી ગંભીર ઘટનાને જિલ્લા ન્યાયતંત્રએ ગંભીરતાથી લીધી છે. આ ઘટના પછી ભુજના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ ડી.પી. મહિડાએ આજે સવારે પોતાની ચેમ્બરમાં એક ખાસ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોર્ટ પરિસરની સુરક્ષા, ઘટનાની તપાસ અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે વિશે ચર્ચા થઈ. પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ ડી.પી. મહિડાના વડપણ હેઠળ યોજાયેલી આ બેઠકમાં જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા, ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક એમ.જે. ક્રિશ્ચિયન અને ભુજ બાર એસોસિએશનના પ્રમુખ સચિન ગોર હાજર રહ્યા હતા. તેમની સાથે કોર્ટ સાથે જોડાયેલા અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. બેઠકમાં કોર્ટની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને ગઈકાલની ઘટનાનો કાયદેસર અને ઝડપી ઉકેલ લાવવા માટે જરૂરી સૂચનો અપાયા. ઘટના સમયે તરત દખલગીરી કરીને પરિસ્થિતિને વધુ ખરાબ થતી અટકાવવા અને એક વ્યક્તિનો જીવ બચાવવા બદલ ઈન્ચાર્જ એસ.પી. એમ.જે. ક્રિશ્ચિયનની કામગીરીના વખાણ થયા. બેઠકમાં નોંધ લેવાઈ કે તેમની સમયસરની કામગીરીને કારણે ગંભીર પરિણામ ટળી ગયું. બેઠકમાં ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસને સામાન્ય કેસની જેમ નહીં, પણ ખાસ કેસ તરીકે કરવા સૂચના અપાઈ. તપાસ પ્રક્રિયા ઝડપી બનાવીને એક સપ્તાહની અંદર પૂરી તપાસ કરીને ચાર્જશીટ રજૂ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું. સાથે જ, કેસની કોર્ટ કાર્યવાહી પણ ઝડપથી આગળ વધે અને આવા બનાવોમાં કાયદાનો અસરકારક દાખલો બેસે તે દિશામાં કામ કરવા પણ સૂચના અપાઈ. આ ઉપરાંત, કચ્છ પૂર્વ અને કચ્છ પશ્ચિમ વિસ્તારમાં આવેલા બધા ન્યાયાલયોમાં સુરક્ષા વ્યવસ્થાની ફરી તપાસ કરવા, કડક ચેકિંગ રાખવા અને અનિચ્છનીય વ્યક્તિઓ કે વસ્તુઓ કોર્ટ પરિસરમાં ન પ્રવેશે તેની પૂરી કાળજી રાખવા જણાવાયું. કોર્ટમાં ન્યાયાધીશો, સરકારી અને ખાનગી વકીલો, અધિકારીઓ-કર્મચારીઓ, પક્ષકારો અને મહિલાઓ સહિત દરેક વ્યક્તિની સલામતી જળવાઈ રહે તે માટે જરૂરી બધા સુરક્ષા પગલાં તરત અમલમાં મૂકવા બેઠકમાં ખાસ સૂચના અપાઈ. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/03/cf033d06-282a-49f1-9cec-d4df7d661ef8_1788437879990.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 00:17:03 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>ભુજ, કોર્ટમાં, ગંભીર, ઘટના, પછી, પ્રિન્સિપાલ, જજે, બેઠક, યોજી:સુરક્ષા, વધારવા, અને, એક, સપ્તાહમાં, તપાસ, પૂરી, કરી, ચાર્જશીટ, રજૂ, કરવા, આદેશ</media:keywords>
</item>

<item>
<title>વલસાડમાં ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો ઝાડીઓમાં ઘૂસ્યો:ફલાહ હોટેલ પાસે ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત, સદનસીબે જાનહાની ટળી</title>
<link>https://www.narsim7news.com/p/11</link>
<guid>https://www.narsim7news.com/p/11</guid>
<description><![CDATA[ વલસાડમાં ફલાહ હોટેલ નજીક ગેસ સિલિન્ડર ભરેલો એક આઇસર ટેમ્પો અકસ્માતનો ભોગ બન્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. મળતી માહિતી મુજબ, ટેમ્પોના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે ટેમ્પો રોડની બાજુમાં આવેલી ઝાડીઓમાં ધડાકાભેર ઘૂસી ગયો હતો. ટેમ્પોમાં મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર ભરેલા હોવાથી અકસ્માત બાદ આસપાસના લોકોમાં થોડા સમય માટે ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સંબંધિત તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. આ અકસ્માતમાં ટેમ્પોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/03/354722cb-2b0a-4729-a821-3b738a868c28_1788440100498.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 00:17:03 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>વલસાડમાં, ગેસ, સિલિન્ડર, ભરેલો, ટેમ્પો, ઝાડીઓમાં, ઘૂસ્યો:ફલાહ, હોટેલ, પાસે, ચાલકે, કાબૂ, ગુમાવતા, અકસ્માત, સદનસીબે, જાનહાની, ટળી</media:keywords>
</item>

<item>
<title>જામનગરમાં શીતળા સાતમનો પર્વ ભક્તિભાવથી ઉજવાયો:ભક્તોએ શીતળા માતાજીની પૂજા કરી, ટાઢું ભોજન આરોગી પરંપરા નિભાવી</title>
<link>https://www.narsim7news.com/p/1</link>
<guid>https://www.narsim7news.com/p/1</guid>
<description><![CDATA[ જામનગર શહેરમાં આજે શીતળા સાતમનો પવિત્ર પર્વ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાયો. શહેરવાસીઓએ રાંધણ છઠના દિવસે બનાવેલું પરંપરાગત &#039;ટાઢું&#039; એટલે કે ઠંડું ભોજન આરોગીને શીતળા સાતમની પરંપરા નિભાવી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભક્તોએ શીતળા માતાજીની પૂજા કરી. તેમણે માતાજીના દર્શન કરીને પરિવારની સુખ-શાંતિ, સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. શીતળા સાતમને કારણે શહેરમાં વહેલી સવારથી જ ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું. મંદિરોમાં ભક્તોની અવરજવર હતી. આ પર્વની ઉજવણીને લઈને આખા જામનગરમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો હતો. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/03/955BD510-E050-47D4-8955-D15561040A03_1788440840574.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 00:17:02 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>જામનગરમાં, શીતળા, સાતમનો, પર્વ, ભક્તિભાવથી, ઉજવાયો:ભક્તોએ, શીતળા, માતાજીની, પૂજા, કરી, ટાઢું, ભોજન, આરોગી, પરંપરા, નિભાવી</media:keywords>
</item>

</channel>
</rss>