<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
     xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
     xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
     xmlns:admin="http://webns.net/mvcb/"
     xmlns:rdf="http://www.w3.org/1999/02/22-rdf-syntax-ns#"
     xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
     xmlns:media="http://search.yahoo.com/mrss/">
<channel>
<title> &#45; Latest Posts</title>
<link>https://www.narsim7news.com/rss/latest-posts</link>
<description> &#45; Latest Posts</description>
<dc:language>en</dc:language>
<dc:rights>Copyright © 2025 Narsim 7 News &#45; All Rights Reserved.</dc:rights>

<item>
<title>સત્ત્વવિકાસ સ્કૂલની 24મી વાર્ષિક જન્માષ્ટમીની ઉજવણી:‘યુગે યુગે કૃષ્ણ, યમુનાથી હોર્મુઝ સુધી’ થીમ સાથે પુરાણ અને વર્તમાન વચ્ચે અનોખો સેતુ રચાયો</title>
<link>https://www.narsim7news.com/p/3</link>
<guid>https://www.narsim7news.com/p/3</guid>
<description><![CDATA[ સત્ત્વવિકાસ સ્કૂલની 24મી વાર્ષિક જન્માષ્ટમી ઉજવણીમાં આ વર્ષે ‘યુગે યુગે કૃષ્ણ,યમુનાથી હોર્મુઝ સુધી’ થીમ સાથે પુરાણ અને વર્તમાન વચ્ચે અનોખો સેતુ રચાયો હતો. વિશ્વમાં ચાલી રહેલા સંઘર્ષ, અશાંતિ અને અંધકાર વચ્ચે ભગવાન કૃષ્ણના હજારો વર્ષ જૂના સંદેશની આજના સમયમાં પ્રસ્તુતતાને વિદ્યાર્થીઓએ નાટ્યાત્મક રીતે રજૂ કરી હતી. એક તરફ શાંત વહેતી યમુના અને બીજી તરફ તણાવથી ધબકતો હોર્મુઝ, એક તરફ વાંસળીના મધુર સૂર અને બીજી તરફ વિશ્વના સંઘર્ષનો ઘોંઘાટ—આ વિરોધાભાસ દ્વારા વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યો કે યુગ બદલાય તો શું કૃષ્ણનો સંદેશ પણ બદલાય? જન્માષ્ટમીની ઉજવણીમાં 150થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આશરે 170 જેટલા પ્રોપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કૃષ્ણજન્મથી શરૂ થયેલી પ્રસ્તુતિમાં કંસનો અત્યાચાર, કાલિય નાગનું દમન, ગોવર્ધનધારણ અને માખણચોરી જેવા પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા હતા. પ્રસ્તુતિમાં ‘કાલિય’ને માત્ર યમુનામાં રહેલા નાગ તરીકે નહીં, પરંતુ જ્યાં દ્વેષનું વિષ ફેલાય છે ત્યાં રહેલા અંધકારના પ્રતીક તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે, જ્યાં કરુણા અન્યાય સામે ઊભી થાય, સાહસ ભયને હરાવે, સહભાગિતા સ્વાર્થને ઓગાળે અને ધર્મ અંધકારમાં પ્રકાશ બને—ત્યાં કૃષ્ણના વિચારો ફરી જન્મે છે તે સંદેશ આપવામાં આવ્યો હતો. ઉજવણી દરમિયાન શાળાના શિક્ષણમૂલ્યોની ઝલક પણ જોવા મળી હતી. કરુણા, સહભાગિતા, સત્યનિષ્ઠા, ધર્મપરાયણતા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનું ગૌરવ જેવા મૂલ્યોને વિદ્યાર્થીઓની રજૂઆત દ્વારા ઉજાગર કરવામાં આવ્યા હતા. અંતે મટકી ફોડના ઉત્સાહભર્યા કાર્યક્રમથી સમગ્ર વાતાવરણ આનંદ અને ઉલ્લાસથી છલકાઈ ઊઠ્યું હતું. આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓએ સંદેશ આપ્યો કે કૃષ્ણ એટલે જીવનમાં સંતુલન, સંકટમાં સાહસ, સંબંધોમાં પ્રેમ, કર્મમાં નિષ્ઠા અને અંધકાર વચ્ચે પ્રકાશ શોધવાની અખૂટ શક્તિ. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/03/whatsapp-image-2026-09-03-at-64947-pm_1788442190.jpeg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 00:17:03 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>સત્ત્વવિકાસ, સ્કૂલની, 24મી, વાર્ષિક, જન્માષ્ટમીની, ઉજવણી:‘યુગે, યુગે, કૃષ્ણ, યમુનાથી, હોર્મુઝ, સુધી’, થીમ, સાથે, પુરાણ, અને, વર્તમાન, વચ્ચે, અનોખો, સેતુ, રચાયો</media:keywords>
</item>

<item>
<title>દ્વારકામાં સચવાઈ રહી છે શ્રીકૃષ્ણના વંશની અનોખી વિરાસત:શ્રીકૃષ્ણ પર પીએચ.ડી. સંશોધન કરી પૂજારી ડૉ. નિર્ભયરામજીએ તૈયાર કર્યું ‘હરિવંશ વૃક્ષ’</title>
<link>https://www.narsim7news.com/p/2</link>
<guid>https://www.narsim7news.com/p/2</guid>
<description><![CDATA[ જન્માષ્ટમી પર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનો 5253મો જન્મદિવસ ઉજવાશે,ત્યારે શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી એક અનોખી સંશોધન વિરાસત સામે આવી છે. પૂજારી ડૉ. નિર્ભયરામજીએ ભગવાન શ્રીકૃષ્ણ વિષય પર પીએચ.ડી. કરી હતી. આ સંશોધન દરમિયાન તેમણે શ્રીકૃષ્ણના વંશ અને પરિવારની વિસ્તૃત માહિતી રજૂ કરતું વિશાળ ‘હરિવંશ વૃક્ષ’ તૈયાર કર્યું હતું. ‘આંબો’ નામથી ઓળખાય છે હરિવંશ વૃક્ષ
શ્રીકૃષ્ણના વંશ અને પરિવારની કડી દર્શાવતી આ રચનાને દ્વારકા પંથકમાં લોકો પ્રેમથી ‘આંબો’ કહીને ઓળખે છે. નામ ભલે વૃક્ષ સાથે જોડાયેલું હોય, પરંતુ તેની અંદર ભગવાન શ્રીકૃષ્ણના પરિવાર, વંશ અને સંબંધોની મહત્વપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી છે.
 નેતાજી પૂજારી પાસે સચવાઈ રહી છે અનોખી કૃતિ
ડૉ. નિર્ભયરામજીએ સંશોધનના ભાગરૂપે તૈયાર કરેલી આ ઐતિહાસિક અને સંશોધનાત્મક કૃતિ આજે પૂજારી શ્રી નેતાજી પૂજારી પાસે સચવાયેલી છે. વર્ષો બાદ પણ આ રચના શ્રીકૃષ્ણના વંશ અંગેના સંશોધનનો મહત્વપૂર્ણ દસ્તાવેજ બની રહી છે.
 દ્વારકાની ધાર્મિક વિરાસતમાં સંશોધનનું આગવું સ્થાન
ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં તેમના વંશ અને પરિવાર અંગે કરવામાં આવેલું આ સંશોધન પંથક માટે અનોખી વિરાસત સમાન છે. ધાર્મિક આસ્થા સાથે સંશોધનને જોડતી આ રચના દ્વારકાના ઇતિહાસ અને શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલી પરંપરાઓને સમજવા માટે વિશિષ્ટ મહત્વ ધરાવે છે. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/03/dbgifmagic-9_1788442242.gif" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 00:17:03 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>દ્વારકામાં, સચવાઈ, રહી, છે, શ્રીકૃષ્ણના, વંશની, અનોખી, વિરાસત:શ્રીકૃષ્ણ, પર, પીએચ.ડી., સંશોધન, કરી, પૂજારી, ડૉ., નિર્ભયરામજીએ, તૈયાર, કર્યું, ‘હરિવંશ, વૃક્ષ’</media:keywords>
</item>

<item>
<title>સુરેન્દ્રનગરના પાટડીમાંથી અપહૃત 4 વર્ષનો બાળક અમદાવાદથી હેમખેમ મળ્યો:ભીખ મંગાવવાના ઇરાદે મહિલાએ બાળકનું અપહરણ કર્યું, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને દબોચ્યો</title>
<link>https://www.narsim7news.com/p/5</link>
<guid>https://www.narsim7news.com/p/5</guid>
<description><![CDATA[ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી બસ સ્ટેશન વિસ્તારમાંથી ગત બુધવારે સવારે 4 વર્ષના માસૂમ બાળકનું અપહરણ થવાની ચકચારી ઘટનામાં અમદાવાદની સોલા હાઈકોર્ટ પોલીસે ગણતરીના કલાકોમાં સફળતા મેળવી છે. પાટડીમાંથી બાળકને ઉઠાવીને અમદાવાદ લાવવામાં આવ્યું હોવાની બાતમી અને સીસીટીવી ફૂટેજના આધારે સોલા પોલીસે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને અપહૃત બાળકને હેમખેમ મુક્ત કરાવ્યો છે.  આ સાથે જ બાળકનું અપહરણ કરનાર ચાલીસ વર્ષીય મહિલાને રંગેહાથ ઝડપી પાડવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલી મહિલાએ ભીખ મંગાવવાના આશયથી માસૂમ બાળકનું અપહરણ કર્યું હોવાની ચોંકાવનારી કબૂલાત કરતાં પોલીસે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પાટડી બસ સ્ટેશન પાસેથી બાળકની ચોરી અને પોલીસ એલર્ટ
ઘટનાની વિગતો અનુસાર, પાટડી બસ સ્ટેશન સામે ફૂટપાથ પર પરિવાર સાથે રહેતા શ્રમજીવી પિતાનો ચાર વર્ષનો પુત્ર બુધવારે સવારે આશરે સાડા 10 વાગ્યાના અરસામાં અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવારજનોની શોધખોળ બાદ પણ બાળક ન મળતાં આ મામલે પાટડી પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન આસપાસના સીસીટીવી કેમેરામાં એક શંકાસ્પદ મહિલા આ બાળકને હાથ પકડીને લઈ જતી કેદ થઈ ગઈ હતી. જેના પગલે પાટડી પોલીસે તાત્કાલિક બાળકના વર્ણન અને સીસીટીવી ફૂટેજ સાથેનો ઇમરજન્સી બ્રોડકાસ્ટ મેસેજ અમદાવાદ શહેર કંટ્રોલ રૂમ સહિત તમામ પોલીસ મથકોને રવાના કર્યો હતો. સોલા હાઈકોર્ટ પોલીસની સતર્કતા અને સર્ચ ઓપરેશન
મેસેજ મળતાં જ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે. દેસાઈ, એન.એસ. સિંઘ તથા સર્વેલન્સ સ્ટાફની ટીમો બનાવી વિસ્તારમાં નાકાબંધી અને સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ જવાનોએ શંકાસ્પદ વિસ્તારો અને ભીડભાડવાળી જગ્યાઓ ખૂંદી વળતાં ભાગવત કોમ્પ્લેક્સ ચાર રસ્તાથી પ્રસંગ પાર્ટી પ્લોટ ચાર રસ્તા તરફ જતા રોડ પર એક મહિલા સાથે સીસીટીવીમાં દેખાયેલા વર્ણનવાળા બાળકને જોઈ લીધો હતો. પોલીસે ઘેરાબંધી કરીને મહિલાને તાત્કાલિક અટકાયતમાં લઈ લીધી હતી અને બાળકની સુરક્ષિત રીતે અટક કરી હતી. ભીખ મંગાવવા અને કચરો વીણવા માટે બાળક ઉઠાવ્યું હતું
પોલીસ કસ્ટડીમાં લેવાયેલી મહિલાની ઓળખ મીનાબેન ઉર્ફે રમીલા, ઉર્ફે રીની, જગદીશ ઉર્ફે જીગો દેવાભાઈ નાથબાવા (ઉંમર 40 વર્ષ) તરીકે થઈ છે. તે મૂળ અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના રીન્દ્રોડા ગામની વતની છે અને હાલ સોલા સિવિલ હોસ્પિટલ સામે ફ્લાયઓવર બ્રિજ નીચે ફૂટપાથ પર પોતાના પતિ સાથે રહે છે. તે જાહેરમાં ભીખ માંગીને તેમજ પ્લાસ્ટિક-કચરો વીણીને ગુજરાન ચલાવતી હતી. કડક પૂછપરછમાં મહિલાએ કબૂલાત કરી હતી કે રસ્તાઓ અને ટ્રાફિક સિગ્નલ પર લોકો પાસેથી સહાનુભૂતિ મેળવી વધુ ભીખ મંગાવવાના ઇરાદાથી તેણે પાટડીથી એકલા રમી રહેલા માસૂમ બાળકનું અપહરણ કર્યું હતું. બાળકને હેમખેમ પિતાને સોંપવા તજવીજ હાથ ધરાઈ
સોલા પોલીસે સમયસૂચકતા અને ઝડપી ટેકનિકલ નેટવર્કના આધારે ગણતરીના કલાકોમાં જ અપહરણનો ભેદ ઉકેલી બાળકનો જીવ જોખમમાં મુકાતાં બચાવી લીધો છે. પોલીસે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તેમજ બાળકના વાલીવારસોને આ સફળતા અંગે જાણ કરી છે. બાળક સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે અને કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કરી તેને તેના પિતાના હવાલે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જ્યારે આરોપી મહિલાને આગળની તપાસ માટે પાટડી પોલીસને સોંપવામાં આવશે. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/03/dbgifmagic-12_1788442119.gif" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 00:17:03 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>સુરેન્દ્રનગરના, પાટડીમાંથી, અપહૃત, વર્ષનો, બાળક, અમદાવાદથી, હેમખેમ, મળ્યો:ભીખ, મંગાવવાના, ઇરાદે, મહિલાએ, બાળકનું, અપહરણ, કર્યું, પોલીસે, ગણતરીના, કલાકોમાં, ભેદ, ઉકેલી, આરોપીને, દબોચ્યો</media:keywords>
</item>

<item>
<title>મોદી ઇરાનના રાષ્ટ્રપતિને મળતાં ટ્રમ્પને મરચાં લાગ્યાં!:ચૂંટણી પહેલા અમેરિકા બન્યું &amp;apos;ફોઈબા&amp;apos;, માર્કો રૂબિયોની ભારતને ધમકી; BRICS પહેલા મોટી બબાલ</title>
<link>https://www.narsim7news.com/p/7</link>
<guid>https://www.narsim7news.com/p/7</guid>
<description><![CDATA[ પ્રધાનમંત્રી મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝેશ્કિયાન સાથે હાથ શું મિલાવ્યો અમેરિકાએ તો ભારતને બરબાદ કરી દેવાની ધમકી આપી દીધી. શું ભારતે અમેરિકા સામે બગાવત કરી છે? જો અમેરિકા ફરી પ્રતિબંધો લગાવે તો ભારતની કઈ વસ્તુઓ મોંઘી થઈ શકે? અને ટ્રમ્પને ભાજપની જેમ નામકરણ કરીને ફઈબા બનાવાનો ચસકો કેમ લાગ્યો? ચાલો તેના વિશે વિગતે વાત કરીએ... નમસ્કાર... આપણે બધા જ જાણીએ છીએ કે 31 ઓગસ્ટે કિર્ગિસ્તાનની રાજધાની બિસ્કેકમાં SCO મીટિંગ મળી હતી. પશ્ચિમી દેશોનું નાટો કે જી સેવન ગ્રુપ છે એવું જ આ ગેર-પશ્ચિમી દેશોનું એક મોટું સંગઠન છે. ને આ જ સમિટમાં એક મોટો બોમ્બ ફૂટ્યો. વાત કંઈક એવી છે કે પ્રધાનમંત્રી મોદી ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પઝેશ્કિયાનને મળ્યા. બસ, આ એક મુલાકાતના ફોટોએ અમેરિકાના પેટમાં એવું તેલ રેડ્યું કે વોશિંગ્ટનમાં બેઠેલા નેતાઓ ધૂઆંપૂઆં થઈ ગયા. હવે વાત કરીએ એવું તો શું બની ગયું છે તેની. ધ બ્રાઈન કલમેટ શોમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોને પૂછવામાં આવ્યું કે, મોદી અને પઝેશ્કિયાન મળ્યા છે તો બંને દેશો કોઈ ડિલ કરવાના છે? તમારું શું કહેવું છે? ત્યારે રૂબિયોએ કહ્યું... “મને નથી લાગતું કે ભારત અને ઈરાન વચ્ચે કોઈ વેપાર ડીલ થઈ રહી છે. દરેક દેશને પોતાની વિદેશ નીતિ નક્કી કરવાનો અધિકાર છે. દુનિયાના ઘણા દેશો ઈરાનની સરકાર સાથે વાત કરે છે. અમેરિકાએ પણ અનેક ઈરાની અધિકારીઓ સાથે કેટલાક મુદ્દાઓ પર વાત કરી છે. પરંતુ રાષ્ટ્રપતિનું કહેવું છે કે કોઈ પણ દેશે ઈરાનને અમેરિકાના પ્રતિબંધોથી બચવામાં મદદ ન કરવી જોઈએ. ઈરાનને પૈસા કમાવવાના એવા કોઈ રસ્તા ન બતાવવા જોઈએ, જેનાથી તે આતંકવાદને પ્રોત્સાહન આપી શકે અથવા પરમાણુ હથિયારો બનાવી શકે. જો કોઈ દેશ આવું કરશે, તો અમેરિકાને તે દેશ પર પ્રતિબંધો લગાવવા પડશે.” રૂબિયોએ ટ્રમ્પના ખભે ફોડી બંદૂક
મતલબ કે, અમેરિકા સીધું કહી રહ્યું છે કે, અમારી લાઈનમાં ચાલો, નહીંતર તમને પણ બરબાદ કરી દઈશું. અને બીજી એક ખાસ વાત. ઉપર તમે વાંચ્યું એમાં ભારતની જે જે સારી વાતો હતી તે રૂબિયોએ પોતાની તરફથી કરી અને સેક્શન્સ નાખવાની વાત આવી તો વાત સીધી ટ્રમ્પ પર ઢોળી દીધી. પણ એક સવાલ થાય કે પાકિસ્તાને પણ તો બે અઠવાડિયા પહેલા જ ઈરાન સાથે મીટિંગ કરી હતી, ત્યારે અમેરિકાના મોઢામાં કેમ મગ ભરાઈ ગયા હતા? અને વાત ભારતની આવી તો તેમને કેમ આટલા મરચાં લાગે છે? ઈરાનને કંગાળ કરી દેવાનો અમેરિકન પ્લાન તો જવાબ છે અમેરિકાની એક પોલિસી જેનું નામ છે ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ. અમેરિકાએ ઈરાનનું આર્થિક ગળું દવાબી દેવા માચે 24 ઓગસ્ટે આ મિશન માથે લીધું છે. જેનો સીધો મતલબ છે કે ઈરાનને દુનિયામાં આર્થિક રીતે સાવ અછૂત કરી દેવું. અમેરિકાના ટ્રેજરી સચિવ સ્કોટ બેસેન્ટે આ કેમ્પેઈન લોન્ચ કર્યું છે. જેમાં કહેવાયું છે કે જો ઈરાન સાથેના સંબંધો નહીં કાપો તો અમેરિકા તમારી સામે નાણાકીય હિંસા કરશે. ઈરાન સાથનો વેવાર કોને પડ્યો ભારે? અને આ કોઈ હવામાં ઉભું કરેલું કેમ્પેન કે ધમકી નથી. આ ઓપરેશનની અસર ભારત પર થોડા સમય પહેલા જ પડી ગઈ છે. અમેરિકાએ ઈરાન સાથે 119 મિલિયન ડોલરનો પેટ્રોલિયમ વેપાર કરનાર સદાશિવા ઓવરસીઝ સહિત બીજી પણ ચારેક ભારતીય કંપનીઓ અને ત્રણ ભારતીય નાગરિકો પર બેન લગાવી દીધો છે. ટૂંકમાં અમેરિકા ખાલી ઈરાની ઓઈલ ખરીદનારા જ નહીં, પણ કસ્ટમ્સ બ્રોકર અને નાણાકીય લેવડદેવડ કરનારાઓને પણ ટાર્ગેટ કરી રહ્યું છે. અમે ભારત અને રશિયાને ગુમાવી દીધા: ટ્રમ્પ આ જોઈ કે સાંભલીને કોઈને પણ એવું લાગે કે ભારત હવે બીય જશે અને ઈરાનથી છેટું રહેશે. ટ્રમ્પે ગયા વર્ષે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એવું શુધ્ધા લખી નાખ્યું હતું કે, &quot;અમે ભારત અને રશિયાને ગુમાવી દીધા છે, તેઓ ચીનના ખેમામાં જતા રહ્યા છે. તેમને શુભેચ્છાઓ&quot; તો શું ખરેખર આવું જ છે જેવું અમેરિકા વિચારે છે અને ભારત પોતાની વિદેશ નીતિ બદલી નાખશે? જવાબ છે ના ભાઈ ના... ને આવું એટલા માટે કારણ કે હમણાં થોડા સમય પહેલા જ બિશ્કેકમાં મોદીએ ભારતની વિદેશ નીતિ સમજવા માટેની એક વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, &quot;ભારત ગાંધી અને બુદ્ધની ધરતીનો દેશ છે. અમે હંમેશા શાંતિના પક્ષમાં અને બધા સાથે સારા સંબંધો રાખીને હળી-મળીને રહેવામાં માનીએ છીએ.&quot; ભારત-ઈરાન બેઠકનો શું હતો એજન્ડા? મોદી અને પઝેશ્કિયાન સાથે મીટિંગ થઈ ત્યાર બાદ ભારતીય વિદેશ મંત્રાલયનું ઓફિશિયલ પ્રેસ રિપોર્ટ આવ્યો એમાં લખાયું છે તેનાથી સમજી શકાય છે કે ભારતે ઈરાન સાથે ભારતીય જહાજો અને નાવિકોની સુરક્ષા વિશે જ વાત કરી છે. ભારતે ઈરાન સાથે પશ્ચિમ એશિયાની શાંતિ વિશે વાત કરી છે. ભારતે કોઈ નવી ટ્રેડ ડિલ નથી કરી. અને ભારત અમેરિકા કે બીજા કોઈ દેશના કહેવાથી પોતાના સંબંધો કોઈ પણ દેશ સાથે નહીં બગાડે. યુદ્ધ પછી ઈરાન સાથે કેટલો વેપાર? ભારતની આ વાતને આપણે ઓફિશિયલ ડેટાથી સમજીએ. એક સમયે એટલે કે 2018-2019માં ભારત અને ઈરાન વચ્ચે 17 અબજ ડોલરનો વેપાર થતો હતો. પણ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે એટલે કે 2025-2026માં આ વેપાર ઘટીને 1.63 અબજ ડોલર જ રહ્યો છે. લગભગ 90 ટકા જેટલો ઘટાડો ભારત અને ઈરાન વચ્ચેના વેપારમાં જોવા મળ્યો છે. સરકારથી સરકારનો વેપાર પણ લગભગ બંધ પડેલો છે. જે વેપાર થઈ રહ્યો છે તે ખાનગી કંપનીઓ કરી રહી છે. જો કે તેની આડી અસર દેશના વેપારીઓ પર પણ પડી. અત્યાર સુધીમાં આપણા વેપારીઓ વાયા દુબઈ થઈને ઈરાન સાથે ડિલ કરતા હતા પણ હવે યુએઈની બેંકોએ ઈરાન સાથે વેપાર અટકાવી દીધો છે. આ દુબઈ રૂટ બંધ થવાથી ભારતના 383 મિલિયન ડોલરના બાસમતી ચોખા અને 14.4 મિલિયન ડોલરની ચાની નિકાસ પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. 10 દિવસ પછી ભારતમાં ઈન્ટરનેશનલ બેઠક જો કે જ્યારે આ બધું થઈ રહ્યું છે ત્યારે ઠીક 10 દિવસ પછી એક મોટી ઈવેન્ટ ભારત માથે આવીને ઉભી રહી ગઈ છે. આજથી બરાબર 10 દિવસ પછી આપણે બ્રિક્સ દેશોની મીટિંગની લીડરશીપ કરવાના છીએ. આ એવું ઓર્ગેનાઈઝેશન છે જ્યાં ભારત, રશિયા અને ચીનનો દબદબો છે. આ સિવાય બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ પાર્ટનર છે. માટે ભારતને પોતાના બધા જ ડગલા ધ્યાન રાખીને ભરવા રહ્યા. SCO સમિટમાં પણ ભારતનો આ જ એટિટ્યૂડ રહ્યો. બધા સાથા સારા-સારી. જો ભારત આવું ન કરે તો વિદેશ નીતિમાં તેનું કદ ઘટે. એટલે જ ભારતને અત્યારે ફૂંકી ફૂંકીને છાસ પીવી પડી રહી છે. કેવી માનસિકતા સાથે અમેરિકા કરે છે કામ? અને હવે એક અલગ જ મુદ્દાની વાત કરી લઈએ. કારણ કે આપણે અમેરિકાની માનસિકતા પણ સમજવી પડશે. અને ઉપરથી આ વાતો તો તમને બીજે ક્યાંય સાંભળવા પણ નહીં મળે. વાત ભારતના પ્લાન બીની કરવી છે પણ એના પહેલા અમેરિકા અત્યારે કેવા નિર્ણયો અને કેવી માનસિકતા સાથે કામ કરે છે તે જાણી લઈએ. અત્યારે ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટ ઓછી અને ટ્રમ્પ ફર્સ્ટની પોલિસી પર ચાલી રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે અમેરિકામાં નવેમ્બરમાં મીડ ટર્મ ઇલેક્શન છે, ટ્રમ્પને ઈતિહાસમાં અમર થવું છે અને ચૂંટણી પણ જીતવી છે. એટલા માટે તેઓ ધમપછાડા કરી રહ્યા છે. ટ્રમ્પના મગજમાં હોડ લાગી છે જનતાના કામ કરવાને બદલે બ્રિજ, સ્ટેડિયમ કે રસ્તાઓના નામ બદલવાની. ટ્રમ્પ બન્યા &#039;ફઈબા&#039; ટ્રમ્પે હમણા જ એક ઓર્ડર કાઢીને કેનેડા બોર્ડર પર આવેલ 400 વર્ષ જૂના લેક ઓન્ટારિયોનું રાતોરાત નામ બદલીને લેક અમેરિકા કરી નાખ્યું છે. આ એ જ આદિવાસી નામ છે જે અમેરિકાની આઝાદી પહેલાથી અસ્તિત્વમાં છે. અને વાત ખાલી એક તળાવ પૂરતી જ નથી. ગલ્ફ ઓફ મેક્સિકોને ગલ્ફ ઓફ અમેરિકા, સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ટ્રમ્પ સ્ટ્રેટ, માઉન્ટ ડેનાલીને બદલે માઉન્ટ મેકકિન્લી, US-ઇન્ડો પેસિફિક કમાન્ડનું US પેસિફિક કમાન્ડ નામ બદલવાની વાતો કે બાલિશ નિર્ણયો પણ ટ્રમ્પ લઈ ચૂક્યા છે. અફવાઓ છે કે ટ્રમ્પને તો એટલાન્ટિંક અને પેસેફિક મહાસાગરના નામ પણ બદલાનો શૂરો છે. મોદીની 15 દેશોમાં ધડાધડ યાત્રા એટલા માટે જ મોદીએ છેલ્લા એક વર્ષમાં અચાનક ફરી પોતાની વિદેશ યાત્રાઓ વધારી દીધી છે. વર્ષ 2026માં પ્રધાનમંત્રીએ 15 જેટલા મોટા દેશોની મુલાકાત કરી છે જેમાંથી સાત મોટા દેશોની વાત કરીએ જે અમેરિકન ટેરિફથી બચાવી શકે તેવા છે... ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, UAE, નેધરલેન્ડ્સ, ઈટાલી, ઈઝરાયલ અને મલેશિયા. કારણ કે ભારત ટ્રમ્પના કોઈ તરંગી નિર્ણયોના ભરોસે બેસી રહેવા નથી માગતું, ભારત એ સાર્વભૌમિક દેશ છે. પોતાના નિર્ણયો જાતે લે છે. દિલ્લીથી ચાલશે ભારત, નહીં કે વોશિંગ્ટન તો વાર્તા સાવ ક્લિયર છે. ટ્રમ્પને ભલે કોઈ દેશ પર મનપડે એવા ઓપરેશન ચલાવવા હોય કે ડોલરની દાદાગીરી દેખાડવી હોય પણ ભારતની વિદેશ નીતિ તો દિલ્લીથી જ ચાલશે નહીં કે વોશિંગ્ટનના રિમોટ કન્ટ્રોલથી. અને છેલ્લે... ઈન્ટરનેશનલ જગતમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભારત અને ચીનના સંબંધો સુધારવા માટે તૈયારીઓ થઈ રહી છે. શરૂઆત નાના અને ઓછા વિવાદિત મામલાથી થશે પણ તેમાં કોણ કેટલું નમતું જોખશે એ જોવાનું રહેશે. સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ: સમીર પરમાર | Samir Parmar) ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/03/editor-view-thumb-2_1788437870.gif" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 00:17:03 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>મોદી, ઇરાનના, રાષ્ટ્રપતિને, મળતાં, ટ્રમ્પને, મરચાં, લાગ્યાં:ચૂંટણી, પહેલા, અમેરિકા, બન્યું, ફોઈબા, માર્કો, રૂબિયોની, ભારતને, ધમકી, BRICS, પહેલા, મોટી, બબાલ</media:keywords>
</item>

<item>
<title>સાવકા બાપે સગીર પુત્રી પર 2 મહિના સુધી દુષ્કર્મ આચર્યું:શિક્ષિકા પત્નીએ રૂમમાં મોબાઈલ કેમેરો ગોઠવી પતિની કરતૂત કેદ કરી, અમદાવાદ પોલીસને પુરાવો આપી ફરિયાદ નોંધાવી</title>
<link>https://www.narsim7news.com/p/9</link>
<guid>https://www.narsim7news.com/p/9</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં પવિત્ર સંબંધોને કલંકિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સાવકા પિતાએ પોતાની જ 17 વર્ષીય સગીર દીકરી સાથે છેલ્લા બે મહિનાથી સતત દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત સામે આવી છે. સગીરાની માતા વ્યવસાયે શિક્ષિકા હોવાથી સવારે નોકરી પર જતી રહેતી હતી, જેનો ગેરલાભ ઉઠાવીને ઘરમાં એકલતાનો લાભ લઈ અંજામ આપતો હતો. આ મામલાની ખબર પડતા શિક્ષિકા માતાએ ઘરમાં છૂપી રીતે મોબાઈલ વીડિયો રેકોર્ડિંગ ચાલુ રાખીને પુરાવા ઝડપી લીધા હતા. આ પુરાવા સાથે માતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પોક્સો તેમજ દુષ્કર્મની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. માતાની ગેરહાજરીમાં સાવકા પિતાની વિકૃત હરકતો
ચાંદખેડા વિસ્તારમાં રહેતી આ સગીરાની માતાના લગ્ન વર્ષ 2017માં આરોપી સાથે થયા હતા, જે એક કપડાંની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી આરોપીની દાનત બગડી હતી અને તે ઘરમાં સગીરા સાથે અયોગ્ય શારીરિક અડપલાં કરતો હતો. સગીરાની માતા સવારે નિયમિત શાળાએ જતી હોવાથી આરોપી ઘરમાં એકલી રહેલી નિર્દોષ દીકરીની લાચારીનો ગેરલાભ ઉઠાવીને છેલ્લા બે મહિનાથી તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતો હતો. સગીરાએ માસી સમક્ષ હિંમતપૂર્વક આપવીતી વર્ણવી
ચાંદખેડા પોલીસ ઇન્સ્પેક્ટર જયેશ મકવાણાના જણાવ્યા અનુસાર સાવકા પિતાના ડર અને પારિવારિક સંકોચના કારણે સગીરા શરૂઆતમાં કોઈને કંઈ કહી શકી નહોતી. જોકે, આરોપીનો ત્રાસ અને અત્યાચાર દિવસેને દિવસે અસહ્ય બનતાં આખરે સગીરાએ હિંમત ભેગી કરીને સમગ્ર કાળી કરતૂતોની જાણ પોતાની માસીને કરી હતી. માસી દ્વારા પરિવારને જાણ કરવામાં આવતાં ઘરમાં ભારે આઘાતનું મોજું ફરી વળ્યું હતું અને પરિવારે પોતાની વહાલસોયી દીકરીને ન્યાય અપાવવાનો દ્રઢ નિર્ણય લીધો હતો. માતાએ છૂપો કેમેરો ગોઠવી નરાધમની કરતૂતો રેકોર્ડ કરી
પોલીસ ફરિયાદ કરતાં પહેલાં મજબૂત પુરાવા મેળવવા માટે શિક્ષિકા માતાએ અનોખી યુક્તિ અજમાવી હતી. માતાએ સવારે ઘરેથી નીકળતાં પહેલાં રૂમમાં મોબાઈલ ફોનનું વીડિયો રેકોર્ડિંગ ઓન કરીને છૂપી જગ્યાએ ગોઠવી દીધું હતું. માતા સ્કૂલે ગયા બાદ આરોપીએ સગીરા સાથે કરેલી હરકતો કેમેરામાં કેદ થઈ ગઈ હતી. માતાએ આ ડિજિટલ પુરાવા હાથમાં આવતાં જ સીધો ચાંદખેડા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરાઈ
માતા દ્વારા રજૂ કરાયેલા અકાટ્ય પુરાવા અને લેખિત ફરિયાદના આધારે ચાંદખેડા પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને આરોપી સાવકા પિતાની અટકાયત કરી લીધી હતી. હાલમાં પોલીસે પીડિત સગીરાનું મેડિકલ પરીક્ષણ અને મજિસ્ટ્રેટ સમક્ષ કલમ મુજબ નિવેદન નોંધવાની કાનૂની તજવીજ હાથ ધરી છે. આરોપીએ અગાઉ કેટલી વાર આ પ્રકારનું કુકર્મ આચર્યું છે અને માનસિક ત્રાસ આપ્યો છે તે તમામ મુદ્દાઓને સાંકળીને પોલીસ દ્વારા કડક ચાર્જશીટ રજૂ કરવા તપાસ તેજ કરવામાં આવી છે. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/03/1_1788440294.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 00:17:03 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>સાવકા, બાપે, સગીર, પુત્રી, પર, મહિના, સુધી, દુષ્કર્મ, આચર્યું:શિક્ષિકા, પત્નીએ, રૂમમાં, મોબાઈલ, કેમેરો, ગોઠવી, પતિની, કરતૂત, કેદ, કરી, અમદાવાદ, પોલીસને, પુરાવો, આપી, ફરિયાદ, નોંધાવી</media:keywords>
</item>

<item>
<title>શામળાજીમાં જન્માષ્ટમીની ઉજવણી માટે તૈયારીઓ પૂર્ણ:મંદિર પરિસરમાં આસોપાલવના તોરણ, નગરમાં શોભાયાત્રા દરમિયાન 100 મટકીફોડનો કાર્યક્રમ</title>
<link>https://www.narsim7news.com/p/4</link>
<guid>https://www.narsim7news.com/p/4</guid>
<description><![CDATA[ આવતીકાલે સમગ્ર રાજ્યના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવાશે. યાત્રાધામ શામળાજીમાં પણ આ ઉત્સવ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવા માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરને આસોપાલવ, કેળ, વાંસ અને આંબાના પાનના તોરણોથી શણગારવામાં આવ્યું છે. સાથે જ, મંદિરને રોશનીથી પણ સજાવાયું છે. જન્માષ્ટમીના શુભ અવસરે ભગવાનના નિજ મંદિરને અમદાવાદના રામી કલાકરો દ્વારા ફૂલોથી શણગારવામાં આવશે. આ માટે 100 કિલોથી વધુ ફૂલોનો ઉપયોગ કરાશે. ભગવાન શામળિયા માટે ખાસ વાઘા પણ તૈયાર કરવામાં આવ્યા છે, જે તેમને પહેરાવીને શણગાર કરાશે. શામળાજીમાં ગામના યુવાનો દ્વારા પણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાશે. આ માટે ગામ અને બજારને આસોપાલવ અને 100થી વધુ મટકીઓથી શણગારવામાં આવશે. સવારે 10 વાગ્યા પછી શ્રી કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં 200 કિલો અબીલ ગુલાલ ઉડાડવામાં આવશે. બેન્ડની સુરાવલી વચ્ચે નીકળનારી આ યાત્રામાં હજારો ભક્તો જોડાશે. આ સમયે &quot;હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકી&quot;ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠશે. યુવાનો આ માટે પણ તૈયારીઓમાં લાગી ગયા છે. દિવસ દરમિયાનની ઉજવણી પછી સાંજે ભગવાનના જન્મોત્સવ નિમિત્તે મંદિર પરિસરમાં ભજન સંધ્યાનું આયોજન કરાયું છે. સાંજથી રાત સુધી ચાલનારી આ ભજન સંધ્યામાં અમદાવાદના ભજનિક કલાકરો કૃષ્ણભક્તિના ભજનો રજૂ કરશે. જન્માષ્ટમીના દિવસે મંદિરના કાર્યક્રમો અને સમયપત્રક આ મુજબ રહેશે: મંદિર સવારે 6 કલાકે ખુલશે. મંગળા આરતી સવારે 6-45 કલાકે થશે. શણગાર આરતી સવારે 8-30 કલાકે થશે. રાજભોગ ધરાવવાનો સમય સવારે છે, તે દરમિયાન મંદિર બંધ રહેશે. મંદિર સવારે 11-30 કલાકે ફરી ખુલશે. રાજભોગ આરતી બપોરે 12-15 કલાકે થશે. મંદિર બપોરે12-30 કલાકે બંધ થશે. ઉત્થાપન માટે મંદિર બપોરે 2-15 કલાકે ખુલશે. સંધ્યા આરતી સાંજે 7-15 કલાકે થશે. શ્રીકૃષ્ણ જન્મોત્સવ રાત્રે 12 કલાકે ઉજવાશે. જન્મોત્સવ મહા આરતી રાત્રે 12-30કલાકે થશે. મહામહાભોગ રાત્રે 12-45 કલાકે ધરાવાશે. શયન આરતી રાત્રે 1 કલાકે થશે. મંદિર મંગલ રાત્રે 1-15 કલાકે થશે. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/03/4e365a20-e0e1-46f1-a950-050873b90560_1788438373697.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 00:17:03 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>શામળાજીમાં, જન્માષ્ટમીની, ઉજવણી, માટે, તૈયારીઓ, પૂર્ણ:મંદિર, પરિસરમાં, આસોપાલવના, તોરણ, નગરમાં, શોભાયાત્રા, દરમિયાન, 100, મટકીફોડનો, કાર્યક્રમ</media:keywords>
</item>

<item>
<title>હિંમતનગરમાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં 70મા વન મહોત્સવની ઉજવણી:&amp;apos;એક પેડ માં કે નામ&amp;apos; અભિયાન હેઠળ વૃક્ષારોપણ, વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધનનો સંકલ્પ</title>
<link>https://www.narsim7news.com/p/6</link>
<guid>https://www.narsim7news.com/p/6</guid>
<description><![CDATA[ સાબરકાંઠા જિલ્લામાં 70મા વન મહોત્સવ-2026ની ઉજવણી કરાઈ. આ અંતર્ગત હિંમતનગરના હડિયોલ વિસ્તરણ રેન્જમાં આવેલા અર્બન વનકવચમાં &#039;એક પેડ માં કે નામ&#039; અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વી.ડી. ઝાલા હાજર રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી. ઝાલાએ વૃક્ષારોપણ કર્યું અને પર્યાવરણ સંરક્ષણ તેમજ હરિયાળા ગુજરાત બનાવવાનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે વૃક્ષોનું જતન અને સંવર્ધન એ આપણી સૌની જવાબદારી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, જો વધુ વૃક્ષો વાવીને તેમનું યોગ્ય જતન કરવામાં આવે તો આવનારી પેઢી માટે સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું પર્યાવરણ બનાવી શકાય. આ માટે સૌએ વૃક્ષારોપણ સાથે વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધનનો સંકલ્પ લેવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ નરેશભાઈ પરમાર, સહાયક વન સંરક્ષક બી.સી. ડાભી, વનક્ષેત્રપાલ દશરથભાઈ મકવાણા સહિત વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, ડિફેન્સ એકેડમીના સંચાલક અને વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/03/f19d1592-709f-45ad-b390-10bf085510c5_1788434535698.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 00:17:03 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>હિંમતનગરમાં, ધારાસભ્યની, ઉપસ્થિતિમાં, 70મા, વન, મહોત્સવની, ઉજવણી:એક, પેડ, માં, કે, નામ, અભિયાન, હેઠળ, વૃક્ષારોપણ, વૃક્ષોના, સંરક્ષણ, અને, સંવર્ધનનો, સંકલ્પ</media:keywords>
</item>

<item>
<title>નર્મદા જિલ્લાના 70 શ્રેષ્ઠીનું ‘નર્મદા રત્ન એવોર્ડ’થી સન્માન:સામાજિક સેવા, શિક્ષણ, આરોગ્ય, કાયદો&#45;વ્યવસ્થા સહિત વિવિધ ક્ષેત્રમાં યોગદાન બદલ</title>
<link>https://www.narsim7news.com/p/8</link>
<guid>https://www.narsim7news.com/p/8</guid>
<description><![CDATA[ નર્મદા જિલ્લામાં સામાજિક સેવા, શિક્ષણ, આરોગ્ય, કાયદો અને વ્યવસ્થા જેવા ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી કરનાર લગભગ 70 શ્રેષ્ઠીઓનું ‘નર્મદા રત્ન એવોર્ડ’થી સન્માન કરાયું હતું. રાજપીપળા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રતિભાઓને તેમની આગવી કામગીરી બદલ મોમેન્ટો, શાલ અને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ સમારોહનો મુખ્ય હેતુ જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં નિષ્ઠાપૂર્વક કામ કરનાર વ્યક્તિઓનું મનોબળ વધારવાનો હતો. નર્મદા રત્ન એવોર્ડ-2026 કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવા, પૂર્વ ધારાસભ્ય પી.ડી. વસાવા, ડીવાયએસપી પ્રેમલ પટેલ, રાજપીપળા નગરપાલિકા પ્રમુખ શિવાનીબેન મહેતા, ચીફ ઓફિસર વૈશાલીબેન વરિયા, કિરણભાઈ વસાવા અને મનોજભાઈ લાલકિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન નર્મદા પોલીસ, સુરક્ષા સેતુ સોસાયટી, લક્ષ્યમ હોન્ડા રાજપીપળા અને NMD ન્યૂઝ નેટવર્ક, નર્મદાના સહયોગથી કરવામાં આવ્યું હતું. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/03/2df6ef95-176b-4ed3-b906-b74f0b340ccc_1788438245910.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 00:17:03 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>નર્મદા, જિલ્લાના, શ્રેષ્ઠીનું, ‘નર્મદા, રત્ન, એવોર્ડ’થી, સન્માન:સામાજિક, સેવા, શિક્ષણ, આરોગ્ય, કાયદો-વ્યવસ્થા, સહિત, વિવિધ, ક્ષેત્રમાં, યોગદાન, બદલ</media:keywords>
</item>

<item>
<title>ભુજ કોર્ટમાં ગંભીર ઘટના પછી પ્રિન્સિપાલ જજે બેઠક યોજી:સુરક્ષા વધારવા અને એક સપ્તાહમાં તપાસ પૂરી કરી ચાર્જશીટ રજૂ કરવા આદેશ</title>
<link>https://www.narsim7news.com/p/10</link>
<guid>https://www.narsim7news.com/p/10</guid>
<description><![CDATA[ ભુજ સેશન્સ કોર્ટમાં ગઈકાલે બનેલી ગંભીર ઘટનાને જિલ્લા ન્યાયતંત્રએ ગંભીરતાથી લીધી છે. આ ઘટના પછી ભુજના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ ડી.પી. મહિડાએ આજે સવારે પોતાની ચેમ્બરમાં એક ખાસ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોર્ટ પરિસરની સુરક્ષા, ઘટનાની તપાસ અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે વિશે ચર્ચા થઈ. પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ ડી.પી. મહિડાના વડપણ હેઠળ યોજાયેલી આ બેઠકમાં જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા, ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક એમ.જે. ક્રિશ્ચિયન અને ભુજ બાર એસોસિએશનના પ્રમુખ સચિન ગોર હાજર રહ્યા હતા. તેમની સાથે કોર્ટ સાથે જોડાયેલા અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. બેઠકમાં કોર્ટની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને ગઈકાલની ઘટનાનો કાયદેસર અને ઝડપી ઉકેલ લાવવા માટે જરૂરી સૂચનો અપાયા. ઘટના સમયે તરત દખલગીરી કરીને પરિસ્થિતિને વધુ ખરાબ થતી અટકાવવા અને એક વ્યક્તિનો જીવ બચાવવા બદલ ઈન્ચાર્જ એસ.પી. એમ.જે. ક્રિશ્ચિયનની કામગીરીના વખાણ થયા. બેઠકમાં નોંધ લેવાઈ કે તેમની સમયસરની કામગીરીને કારણે ગંભીર પરિણામ ટળી ગયું. બેઠકમાં ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસને સામાન્ય કેસની જેમ નહીં, પણ ખાસ કેસ તરીકે કરવા સૂચના અપાઈ. તપાસ પ્રક્રિયા ઝડપી બનાવીને એક સપ્તાહની અંદર પૂરી તપાસ કરીને ચાર્જશીટ રજૂ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું. સાથે જ, કેસની કોર્ટ કાર્યવાહી પણ ઝડપથી આગળ વધે અને આવા બનાવોમાં કાયદાનો અસરકારક દાખલો બેસે તે દિશામાં કામ કરવા પણ સૂચના અપાઈ. આ ઉપરાંત, કચ્છ પૂર્વ અને કચ્છ પશ્ચિમ વિસ્તારમાં આવેલા બધા ન્યાયાલયોમાં સુરક્ષા વ્યવસ્થાની ફરી તપાસ કરવા, કડક ચેકિંગ રાખવા અને અનિચ્છનીય વ્યક્તિઓ કે વસ્તુઓ કોર્ટ પરિસરમાં ન પ્રવેશે તેની પૂરી કાળજી રાખવા જણાવાયું. કોર્ટમાં ન્યાયાધીશો, સરકારી અને ખાનગી વકીલો, અધિકારીઓ-કર્મચારીઓ, પક્ષકારો અને મહિલાઓ સહિત દરેક વ્યક્તિની સલામતી જળવાઈ રહે તે માટે જરૂરી બધા સુરક્ષા પગલાં તરત અમલમાં મૂકવા બેઠકમાં ખાસ સૂચના અપાઈ. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/03/cf033d06-282a-49f1-9cec-d4df7d661ef8_1788437879990.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 00:17:03 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>ભુજ, કોર્ટમાં, ગંભીર, ઘટના, પછી, પ્રિન્સિપાલ, જજે, બેઠક, યોજી:સુરક્ષા, વધારવા, અને, એક, સપ્તાહમાં, તપાસ, પૂરી, કરી, ચાર્જશીટ, રજૂ, કરવા, આદેશ</media:keywords>
</item>

<item>
<title>વલસાડમાં ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો ઝાડીઓમાં ઘૂસ્યો:ફલાહ હોટેલ પાસે ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત, સદનસીબે જાનહાની ટળી</title>
<link>https://www.narsim7news.com/p/11</link>
<guid>https://www.narsim7news.com/p/11</guid>
<description><![CDATA[ વલસાડમાં ફલાહ હોટેલ નજીક ગેસ સિલિન્ડર ભરેલો એક આઇસર ટેમ્પો અકસ્માતનો ભોગ બન્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. મળતી માહિતી મુજબ, ટેમ્પોના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે ટેમ્પો રોડની બાજુમાં આવેલી ઝાડીઓમાં ધડાકાભેર ઘૂસી ગયો હતો. ટેમ્પોમાં મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર ભરેલા હોવાથી અકસ્માત બાદ આસપાસના લોકોમાં થોડા સમય માટે ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સંબંધિત તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. આ અકસ્માતમાં ટેમ્પોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/03/354722cb-2b0a-4729-a821-3b738a868c28_1788440100498.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 00:17:03 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>વલસાડમાં, ગેસ, સિલિન્ડર, ભરેલો, ટેમ્પો, ઝાડીઓમાં, ઘૂસ્યો:ફલાહ, હોટેલ, પાસે, ચાલકે, કાબૂ, ગુમાવતા, અકસ્માત, સદનસીબે, જાનહાની, ટળી</media:keywords>
</item>

<item>
<title>જામનગરમાં શીતળા સાતમનો પર્વ ભક્તિભાવથી ઉજવાયો:ભક્તોએ શીતળા માતાજીની પૂજા કરી, ટાઢું ભોજન આરોગી પરંપરા નિભાવી</title>
<link>https://www.narsim7news.com/p/1</link>
<guid>https://www.narsim7news.com/p/1</guid>
<description><![CDATA[ જામનગર શહેરમાં આજે શીતળા સાતમનો પવિત્ર પર્વ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાયો. શહેરવાસીઓએ રાંધણ છઠના દિવસે બનાવેલું પરંપરાગત &#039;ટાઢું&#039; એટલે કે ઠંડું ભોજન આરોગીને શીતળા સાતમની પરંપરા નિભાવી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભક્તોએ શીતળા માતાજીની પૂજા કરી. તેમણે માતાજીના દર્શન કરીને પરિવારની સુખ-શાંતિ, સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. શીતળા સાતમને કારણે શહેરમાં વહેલી સવારથી જ ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું. મંદિરોમાં ભક્તોની અવરજવર હતી. આ પર્વની ઉજવણીને લઈને આખા જામનગરમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો હતો. ]]></description>
<enclosure url="https://images.bhaskarassets.com/thumb/1000x1000/web2images/960/2026/09/03/955BD510-E050-47D4-8955-D15561040A03_1788440840574.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 00:17:02 -0400</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords>જામનગરમાં, શીતળા, સાતમનો, પર્વ, ભક્તિભાવથી, ઉજવાયો:ભક્તોએ, શીતળા, માતાજીની, પૂજા, કરી, ટાઢું, ભોજન, આરોગી, પરંપરા, નિભાવી</media:keywords>
</item>

</channel>
</rss>